News Updates
ENTERTAINMENT

હાર્દિકનો નિર્ણય માત્ર મુંબઈ ઈન્ડિયન્સનું જ નહીં પણ ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય પણ નક્કી કરશે, રોહિતના ભવિષ્ય પર પણ સવાલો !

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સિઝન શરૂ થાય તે પહેલા જ હલચલ વધવા લાગી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હરાજી પહેલા જ તેની બાજુ બદલી, તે ટ્રેડિંગ દ્વારા ગુજરાત છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો છે. દરેકના મનમાં સવાલ એ છે કે હાર્દિકે ગુજરાતની કેપ્ટનશીપ કેમ છોડી, જ્યારે તેની માટે પ્રથમ બે સિઝન ઘણી સારી હતી. તો શું તે મુંબઈ ઈન્ડિયન્સનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે, સવાલો માત્ર આઈપીએલ પૂરતા જ સીમિત નથી પરંતુ તેની કડી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સુધી પણ વિસ્તરેલી છે.

2022માં ઇજા બાદ હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો, તે ગુજરાત ટાઇટન્સ સાથે કેપ્ટન તરીકે પાછો ફર્યો હતો. પહેલી જ સિઝનમાં તેણે પોતાની ટીમ માટે ટ્રોફી જીતી હતી, જ્યારે બીજી સિઝનમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. હાર્દિકની સારી કેપ્ટનશિપના કારણે જ તે T-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. તેણે કેટલીક શ્રેણીમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી અને તે સફળ રહ્યો હતો.

સ્પષ્ટ છે કે જો હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જશે તો તેની નજર માત્ર કેપ્ટનશિપ પર જ રહેશે અને ગુજરાત ટાઈટન્સની જેમ જો અહીં પણ તેનો કેપ્ટનશીપનો ગ્રાફ સફળ રહેશે તો તે ટીમ ઈન્ડિયામાં માત્ર ટી-20માં જ નહીં પરંતુ વ્હાઇટ બોલના ફોર્મેટમાં પણ કેપ્ટનશિપ માટે સંપૂર્ણ દાવેદાર હશે. કારણ કે આઈપીએલની સાથે ટીમ ઈન્ડિયામાં પણ એક ટ્રાંજિશન ચાલી રહ્યું છે, જ્યાં દરેકની નજર રોહિત શર્મા પછી બીજા લીડર પર ટકેલી છે.

હાર્દિક પંડ્યાની કોશિશ એવી હોય છે કે તે મુંબઈ સાથે સિદ્ધિનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે, જે તેણે ગુજરાત ટાઇટન્સ સાથે કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખતની ચેમ્પિયન અને આઈપીએલની મોટી ફ્રેન્ચાઈઝી હોવાથી હાર્દિક પર દબાણ રહેશે અને દરેકની નજર તેના પર રહેશે. પરંતુ તે ચોક્કસપણે આ સંજોગોને તેની તરફેણમાં બદલવા માંગશે.

મુંબઈ ઈન્ડિયન્સથી લઈને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સુધીની હાર્દિક પંડ્યાની ઘણી બધી સફર પણ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ભર છે. રોહિત શર્મા 35 વર્ષનો છે, તે છેલ્લા એક વર્ષથી T20 ઈન્ટરનેશનલથી દૂર છે. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યાને T20 ઇન્ટરનેશનલની સંપૂર્ણ જવાબદારી મળી છે, જોકે રોહિત શર્મા આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં જોવા મળી શકે છે.

થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે BCCIએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને તેમની T20 કારકિર્દી વિશે પૂછ્યું છે અને બધું તેમને સોંપી દીધું છે. ભલે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ જીતવાથી ચુકી ગઈ હોય, પરંતુ હવે બંને દિગ્ગજો પાસે T20 વર્લ્ડ કપમાં એક છેલ્લી તક છે. જો બંને ઈચ્છે તો જૂન 2024નો વર્લ્ડ કપ પણ રમી શકે છે.

એટલે કે, ટીમ ઈન્ડિયામાં કોઈ પણ મોટું ટ્રાજિશન તેના પછી જ થશે તેવું લાગે છે, આવી સ્થિતિમાં રોહિત શર્મા કયા ફોર્મેટને અલવિદા કહે છે તેના પર નિર્ભર રહેશે. જો હાર્દિક પંડ્યા કેપ્ટનશિપની રેસમાં છે તો તેમને આ જવાબદારી ક્યારે અને કેવી સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા પહેલા કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ કેપ્ટનશિપની રેસમાં હતા, પરંતુ ગુજરાત ટાઇટન્સ સાથે હાર્દિકના નસીબ અને તેના સારા ફોર્મે તમામ સમીકરણો બદલી નાખ્યા છે.


Spread the love

Related posts

આદિત્ય રોય કપૂર રિલેશનશિપ અને સિચ્યુએશનશિપને લઈને મૂંઝવણમાં!:’કોફી વિથ કરન’માં પહોંચેલા એક્ટરે કહ્યું, ‘અનન્યા ‘કોય’ કપૂર છે, તો હું આદિત્ય ‘જોય’ કપૂર છું’

Team News Updates

લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસ પર નહીં જાય:પ્રથમ મેચ 18 ઓગસ્ટથી રમાશે; બુમરાહ ટીમનું સુકાન સંભાળશે

Team News Updates

13 મહિનાથી નથી રમી ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં કરશે કમબેક!

Team News Updates