News Updates
ENTERTAINMENT

અનુપમા’ ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન:59 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટ એટેક, અભિનેતાને સ્વાદુપિંડની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

Spread the love

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 59 વર્ષના ઋતુરાજને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સ્વાદુપિંડ સંબંધિત બીમારીથી પીડિત હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મિત્ર અને અભિનેતા અમિત બહલે પુષ્ટિ કરી
​​​​​​​
ઋતુરાજના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અભિનેતા અમિત બહલે કરી છે. અમિતે કહ્યું, ‘હા, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમને હૃદયની કેટલીક સમસ્યાઓ હતી જ્યારે પછી તેમનું મૃત્યુ થયું હતું.

અરશદ વારસીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું
બોલિવૂડ એક્ટર અરશદ વારસીએ ટ્વિટ કરીને ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરશદે જણાવ્યું કે તે અને ઋતુરાજ એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. અભિનેતાએ લખ્યું, ‘ઋતુરાજના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. નિર્માતા તરીકે તે મારી પ્રથમ ફિલ્મનો ભાગ હતા. એક સારો મિત્ર અને અદ્ભુત અભિનેતા ગુમાવ્યો… તમને યાદ કરીશ ભાઈ…’

ઋતુરાજ સિંહ છેલ્લે લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’માં જોવા મળ્યા હતા
અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દિવંગત અભિનેતા ઋતુરાજે ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ હૈ સહિત અન્ય ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો.

એક્ટિંગ માટે મુંબઈ આવેલા ઋતુરાજ સિંહે દિલ્હીમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો
1993માં મુંબઈ આવ્યા અને એક્ટિંગને કરિયર તરીકે પસંદ કર્યું. ઋતુરાજે અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘એક ખેલ રાજનીતિ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઋતુરાજ સિંહે દિલ્હીમાં 12 વર્ષ સુધી બેરી જ્હોન્સ થિયેટર એક્શન ગ્રુપ (TAG) સાથે થિયેટરમાં કામ કર્યું અને ઝી ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય હિન્દી ટીવી ગેમ શો, ‘તોલ મોલ કે બોલ’માં અભિનય કર્યો.

સોશિયલ મીડિયા પર ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
સોશિયલ મીડિયા પર ચાહકોની સાથે ટીવીની દિગ્ગજ હસ્તીઓ પણ શ્રદ્ધાંજલિ આપી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘ભગવાન તેની આત્માને શાંતિ આપે.’ અન્ય યુઝરે લખ્યું, ‘અનુપમામાં તેની એક્ટિંગ પ્રશંસનીય રહી છે. હું તેમના કારણે જ શો જોતો હતો’.


Spread the love

Related posts

અરશદ-સંજય દત્તની જોડી ફરી જોવા મળશે:અક્ષય કુમાર ફરી કરશે ‘વેલકમ’, અરશદ વારસીએ કહ્યું, ‘વેલકમ 3 તમે વિચારો છો તેના કરતાં મોટી હશે’

Team News Updates

કાર્તિક આર્યને રિમેક અંગે લીધો મહત્ત્વનો નિર્ણય:’શહજાદા’ની ફ્લોપ અંગે વાત કરતા જણાવ્યું, ‘એક ને એક વાર્તા જોવા લોકો થિયેટરમાં કેમ પૈસા ખર્ચશે?’

Team News Updates

ગાયકવાડ ચૂક્યો સ્મિથનો કેચ:DRSથી બચ્યો ઝમ્પા, અર્શદીપના બીજા જ બોલ પર થયો બોલ્ડ, સ્મિથને જીવનદાન; ટોપ મોમેન્ટ્સ

Team News Updates