News Updates
INTERNATIONAL

પેલેસ્ટિનિયન પિતાએ બાળકોને ઘોડાનું માંસ ખવડાવ્યું- રિપોર્ટ:કહ્યું- તેમને ભૂખ્યા રાખી શકુ નહીં; ગાઝાના લોકોને ઘાસચારો અને પાંદડા ખાવા મજબૂર

Spread the love

7 ઓક્ટોબર, 2023થી શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 29 હજારથી વધુ પેલેસ્ટિનિયનોનાં મોત થયા છે. આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે ગાઝામાં રહેતા એક પિતાએ તેમના બાળકોને ઘોડાનું માંસ ખવડાવ્યું હતું.

જબાલિયા રેફ્યુજી કેમ્પમાં રહેતા 60 વર્ષીય અબુ જિબ્રિલે AFPને જણાવ્યું – ગાઝામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ખાવા માટે કંઈ મળતું નથી. બાળકો ભૂખથી પીડાતા હતા. મારી પાસે ઘોડાને મારીને તેનું માંસ ખવડાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ભૂખ આપણને મારી રહી છે. તેથી મેં બે ઘોડા માર્યા. પરિવારથી છુપાઈને, તેણે ઘોડાનું માંસ રાંધ્યું અને તેને ભાત સાથે બાળકો અને પરિવારના અન્ય સભ્યોને પીરસ્યું.

પરિવારને ખબર નથી કે તેઓ ઘોડાનું માંસ ખાય છે
અબુ જિબ્રિલે કહ્યું- મને ખબર ન હતી કે રાંધેલું ઘોડાનું માંસ ખાવા પર પરિવાર કેવી પ્રતિક્રિયા આપશે, તેથી મેં તેમને કંઈ કહ્યું નહીં. તેઓ જાણતા ન હતા કે તેઓ ઘોડાનું માંસ ખાતા હતા. આપણે એક વાર ભૂખ્યા સૂઈ શકીએ છીએ. પરંતુ 4-5 વર્ષના બાળકોને કેવી રીતે ભૂખ્યા રહે? જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તેઓ રડવા લાગે છે.

એએફપીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લોકો પેટ ભરવા માટે બગડેલી મકાઈના ટુકડા પણ ખાઈ રહ્યા છે. કેટલાક લોકો પશુઓને આપવામાં આવેલો ઘાસચારો અને પાંદડા પણ ખાઈ રહ્યા છે.

8 વર્ષની બાળકી ભૂખથી મરી ગઈ
યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના જણાવ્યા અનુસાર, ગાઝામાં હાનિન જુમ્મા નામની 8 વર્ષની બાળકીનું ભૂખને કારણે મોત થયું હતું. બાળકીના પિતા સાલેહના જણાવ્યા અનુસાર, જે રાત્રે તેનું મૃત્યુ થયું તે રાત્રે તેણે કહ્યું હતું કે તેને ભૂખ લાગી હતી.

ત્યાં કોઈ વાહન ન હોવાથી, હનીનને ગધેડા ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તબીબે જણાવ્યું કે તેનું મૃત્યુ ભૂખ અને તરસથી થયું છે. સાલેહે કહ્યું- તેને રોજ ખાવાનું મળતું નથી. યુએનની મદદ ઘણા દિવસોના અંતરાલ પછી તેમના સુધી પહોંચે છે.


Spread the love

Related posts

ભારત-અમેરિકા મળીને લાંબા અંતરથી પ્રહાર કરતી તોપો બનાવશે:અમેરિકન અધિકારીએ કહ્યું- તેનાથી ચીનનો સામનો કરવા માટે સેનાની તાકાત વધશે

Team News Updates

ચંદ્રની ફરતે 10 પરિક્રમા કરી હતી 56 વર્ષ પહેલાં, એકલા ઉડાન ભરી હતી 90 વર્ષની ઉંમરે, ચંદ્ર પર પહોંચેલા પ્રથમ વખત અવકાશયાત્રીનું પ્લેન ક્રેશમાં મોત

Team News Updates

માંસનું વિતરણ કરશે ઝિમ્બાબ્વે ,200 હાથીઓને મારી નાખશે:40 વર્ષમાં સૌથી મોટા ભૂખમરાના કારણે નિર્ણય, 7 કરોડ લોકો માટે અન્ન સંકટ

Team News Updates