News Updates
ENTERTAINMENT

લગ્ન વગર ત્રીજી વખત પિતા બન્યો વિરાટ કોહલીનો ખાસ મિત્ર, ફોટો પોસ્ટ કરી લક્ષ્મીનું સ્વાગત કર્યું

Spread the love

ન્યુઝીલેન્ડનો દિગ્ગજ ક્રિકેટર કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પાર્ટનર સારા રહીમે પુત્રીને જન્મ આપ્યો છે. આ પહેલા બંન્ને એક પુત્ર અને પુત્રીના પિતા હતા. તેમના પરિવારમાં વધુ એક સભ્ય આવ્યું છે.

કેન વિલિયમસને ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રી અને પત્નીનો ફોટો શેર કરતા લખ્યું હવે 3 થયા. આ સુંદર છોકરીનું આ દુનિયામાં સ્વાગત છે. કેન વિલિયમસન અને સારા રહીમે લગ્ન કર્યા નથી પરંતુ બંન્ને અંદાજે 9 વર્ષથી રિલેશનશીપમાં છે. બંન્ને 3 બાળકોના માતા-પિતા થયા છે તેમ છતાં બંન્ને લગ્ન કર્યા નથી. આ કારણે કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝનો ભાગ હતો નહિ.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરુવાર 29 ફેબ્રુઆરીથી રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળી શકે છે.કેન વિલિયમસને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને 2 સદી ફટકારી હતી.

કેન વિલિયમસન પહેલાથી જ 2 બાળકોનો પિતા છે. જેને એક પુત્ર અને એક પુત્રી છે. હવે તેનો પરિવાર મોટો થયો છે. તેના ઘરમાં વધુ એક લક્ષ્મી આવી છે. હવે પરિવારમાં 2 પુત્રી અને 1 પુત્ર છે.

કેન વિલિયમસન અને વિરાટ કોહલી વચ્ચેની મિત્રતા જગ જાહેર છે. બંને અંડર-19 ક્રિકેટના દિવસોથી મિત્રો છે. મેદાનની બહાર બંને વચ્ચેનું બોન્ડિંગ સ્પષ્ટ છે. હવે અંગત જીવનમાં પણ આ સ્ટાર ક્રિકેટર્સના ઘરે લગભગ એક જ સમયે સારા સમાચાર આવ્યા છે.

ન્યુઝીલેન્ડની ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની સારા રહીમે એક પુત્રીને જન્મ આપ્યો છે. આ વિશેની જાણકારી ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.આ મહિને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. મોટી પુત્રી વામિકાના જન્મ પછી, આ પાવર કપલ હવે એક પુત્રના માતા-પિતા બની ગયું છે, જેનું નામ તેઓએ અકાય રાખ્યું છે.


Spread the love

Related posts

‘રેફ્યુજી’ ફિલ્મ દરમિયાન અભિષેક ડાયલોગ્સ ભૂલી ગયો હતો:વર્ષો પછી કિસ્સો જણાવ્યો અને કહ્યું, ‘ડરના કારણે 17 વાર રિ-ટેક લીધા હતા, ભીડ જોઈને નર્વસ થઇ ગયો હતો’

Team News Updates

Entertainment:ઓસ્કાર એવોર્ડ કેટ વિંસલેટ બાથરૂમમાં રાખે છે; ખૂબ કરગરી પછી ‘ટાઇટેનિક’માં રોલ મળ્યો

Team News Updates

નિતેશ તિવારીની અપકમિંગ ફિલ્મ ‘રામાયણ’ માંથી આલિયા બહાર:રિપોર્ટ્સ અનુસાર વ્યસ્ત શેડ્યૂલને કારણે આલિયાએ ફિલ્મ છોડી, રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે

Team News Updates