News Updates
INTERNATIONAL

ભારતીય નૌસેનાનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન:હુતી હુમલાનો શિકાર થયેલા જહાજને બચાવ્યું, મિસાઇલ એટેકમાં 3 ક્રૂ-મેમ્બર્સનાં મોત, 21નું રેસ્ક્યૂ

Spread the love

ભારતીય નૌસેનાએ ફરી એકવાર એડનની ખાડીમાં એક કોમર્શિયલ જહાજને બચાવી લીધું છે. નૌકાદળના જણાવ્યા અનુસાર, બાર્બાડોસ-ધ્વજવાળા લાઇબેરિયન જહાજ પર હુતિ બળવાખોરોએ મિસાઇલ વડે હુમલો કર્યો હતો.

આ પછી જહાજમાં આગ લાગી હતી. આ દરમિયાન 3 ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા અને 6 લોકો ઘાયલ થયા. ભારતીય નૌસેનાએ આ જહાજ પર હાજર 21 લોકોને બચાવ્યા છે. તેમાંથી એક ભારતીય છે.

અમેરિકન મીડિયા CNN અનુસાર, ‘ટ્રુ કોન્ફિડન્સ’ નામના જહાજ પર 6 માર્ચે હુમલો કરવામાં આવ્યો હતો. હુતિ વિદ્રોહીઓનો આ પહેલો હુમલો છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

INS કોલકાતા મદદ માટે પહોંચ્યું
નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે આ બચાવ અભિયાન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું- INS કોલકાતા જહાજ પર હુમલાની માહિતી મળ્યા બાદ રવાના કરવામાં આવ્યું હતું. તેમાં હાજર હેલિકોપ્ટર અને બોટની મદદથી લોકોને બચાવવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ ઘાયલોની સારવાર કરી રહી છે.

લાલ સમુદ્રમાં હુતીઓના હુમલા પછી જહાજ ડૂબી ગયું
2 માર્ચે, લાલ સમુદ્રમાં સતત હુતી હુમલાઓ વચ્ચે પ્રથમ વખત એક જહાજ ડૂબી ગયું. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, 18 ફેબ્રુઆરીના રોજ, હુતી વિદ્રોહીઓએ બાબ-અલ મંડબ સ્ટ્રેટમાં રૂબીમાર નામના જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ પછી જહાજના ક્રૂ મેમ્બર્સને બ્રિટિશ સેનાએ બચાવી લીધા હતા.

મીડિયા હાઉસ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર રૂબીમાર બ્રિટિશ જહાજ હતું. તેની સાથે બેલીઝનો ધ્વજ લાગેલો હતો. જ્યારે હુતીઓએ તેના પર હુમલો કર્યો ત્યારે તે યમનના મોખા બંદરથી લગભગ 27.78 કિમી દૂર હતું. છેલ્લા 12 દિવસથી તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ લાલ સમુદ્રમાં તોફાન અને ખરાબ હવામાનને કારણે જહાજ ડૂબી ગયું.

ભારતનો 80% વેપાર દરિયાઈ માર્ગે થાય છે
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયનોના સમર્થનમાં હુતી વિદ્રોહીઓ લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં સતત જહાજો પર હુમલા કરી રહ્યા છે. જેના કારણે ઘણા જહાજો પણ પોતાનો રૂટ બદલી રહ્યા છે. આ હુમલાની અસર ભારત પર પણ પડી રહી છે. હુથિઓએ ઘણી વખત ભારત આવતા જહાજો અથવા ભારતીય ક્રૂ સાથેના જહાજો પર હુમલો કર્યો છે.

દર વર્ષે 12% થી 30% વૈશ્વિક વેપાર અને કન્ટેનર ટ્રાફિક લાલ સમુદ્રમાં સુએઝ કેનાલમાંથી પસાર થાય છે. હુતી વિદ્રોહીઓના હુમલાને કારણે યુરોપ અને એશિયા વચ્ચેના મુખ્ય માર્ગ પર આંતરરાષ્ટ્રીય વેપાર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

ભારતનો 80% વેપાર દરિયાઈ માર્ગે થાય છે. તેમજ 90% ઈંધણ પણ આ જ દરિયાઈ માર્ગે આવે છે. દરિયાઈ માર્ગો પર હુમલાની સીધી અસર ભારતના વેપાર પર પડે છે. આના કારણે સપ્લાય ચેઇન બગડવાનો ભય છે. હુતીઓનો સામનો કરવા માટે, અમેરિકાએ લગભગ 10 દેશો સાથે ગઠબંધન પણ બનાવ્યું છે, જે લાલ સમુદ્રમાં હુતીઓને રોકવા અને કાર્ગો જહાજોને હુમલાઓથી બચાવવા માટે કામ કરી રહ્યું છે.

હુતી બળવાખોરો કોણ છે?
યમનમાં 2014માં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તેનું મૂળ શિયા-સુન્ની વિવાદ છે. કાર્નેગી મિડલ ઈસ્ટ સેન્ટરના રિપોર્ટ અનુસાર, બંને સમુદાયો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે 2011માં અરબ ક્રાંતિની શરૂઆત સાથે ગૃહ યુદ્ધમાં ફેરવાઈ ગયું હતું. 2014માં શિયા બળવાખોરોએ સુન્ની સરકાર સામે મોરચો ખોલ્યો હતો.

આ સરકારનું નેતૃત્વ રાષ્ટ્રપતિ અબ્દરબ્બુ મન્સૂર હાદીએ કર્યું હતું. હાદીએ ફેબ્રુઆરી 2012માં પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહ પાસેથી સત્તા આંચકી લીધી હતી, જેઓ અરબક્રાંતિ પછી લાંબા સમય સુધી સત્તામાં હતા. હાદી પરિવર્તન વચ્ચે દેશમાં સ્થિરતા લાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમજ, સૈન્યનું વિભાજન થયું અને અલગતાવાદી હુતીઓ દક્ષિણમાં એકત્ર થયા.

આરબ દેશોમાં વર્ચસ્વની હોડમાં ઈરાન અને સાઉદી પણ આ ગૃહયુદ્ધમાં કૂદી પડ્યા. એક તરફ હુતી બળવાખોરોને શિયા પ્રભુત્વ ધરાવતા દેશ ઈરાનનું સમર્થન મળ્યું છે. તો સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી અરેબિયાની સરકાર.

થોડા સમયની અંદર, હુતી તરીકે ઓળખાતા બળવાખોરોએ દેશના મોટા ભાગ પર કબજો કરી લીધો. 2015માં સ્થિતિ એવી બની ગઈ હતી કે બળવાખોરોએ સરકારને દેશનિકાલ થવા મજબુર કરી હતી.


Spread the love

Related posts

આલ્બર્ટાના જંગલોમાં ભારે આગ ફાટી નીકળતા ઈમરજન્સી જાહેર કરાઈ, 24000 વધુ લોકાના કરાયા રેસ્ક્યુ

Team News Updates

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ હુમલા કર્યા:UNએ યુદ્ધ રોકવાનો ઠરાવ પસાર કર્યો; ભારત સહિત 45 દેશે મતદાન કર્યું નહિ

Team News Updates

અમેરિકામાં વાવાઝોડું ત્રાટક્યું, 60 વાહનો ટકરાયાં: 6નાં મોત, 30 ઘાયલ;

Team News Updates