News Updates
NATIONAL

Maharashtra:કપડાની દુકાનમાં આગ લાગી,એક જ ઘરના સાત લોકો આગમાં ભડથું, મરનારમાં 2 બાળકો પણ સામેલ

Spread the love

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા ઉપરના માળે રહેતા એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, બે પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો.

આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગી ત્યારે લોકો ઉપરના માળે સૂતા હતા. તેને નીચે આવવાની તક પણ ન મળી. જેના કારણે સાતેય લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં કુલ 16 લોકો હાજર હતા. પહેલા માળે 7 લોકો, બીજા માળે 7 લોકો અને ત્રીજા માળે 2 લોકો હતા. જેમાં પહેલા માળે હાજર તમામ લોકોનાં મોત થયા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


Spread the love

Related posts

દિલ્હીની હવા બની ઝેરી, AQI 400ને પાર:ધોરણ 5 સુધીની શાળાઓમાં રજા જાહેર, બિનજરુરી બાંધકામ પર પ્રતિબંધ; ડોક્ટરોની સલાહ- માસ્ક પહેરવું જરૂરી

Team News Updates

વડાપ્રધાન મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા:ટોકન લઈને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા; PM મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી, લોકો સાથે વાતચીત પણ કરી

Team News Updates

JAMMU:પોલીસની ટીમે પીછો કરતા ગુંડાઓ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઘૂસ્યા,ગેંગસ્ટર અને પોલીસ અધિકારીનું મોત

Team News Updates