News Updates
NATIONAL

Maharashtra:કપડાની દુકાનમાં આગ લાગી,એક જ ઘરના સાત લોકો આગમાં ભડથું, મરનારમાં 2 બાળકો પણ સામેલ

Spread the love

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા ઉપરના માળે રહેતા એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, બે પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો.

આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગી ત્યારે લોકો ઉપરના માળે સૂતા હતા. તેને નીચે આવવાની તક પણ ન મળી. જેના કારણે સાતેય લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં કુલ 16 લોકો હાજર હતા. પહેલા માળે 7 લોકો, બીજા માળે 7 લોકો અને ત્રીજા માળે 2 લોકો હતા. જેમાં પહેલા માળે હાજર તમામ લોકોનાં મોત થયા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


Spread the love

Related posts

ટ્રેનના એન્જિન સાથે માથું અથડાતા છોકરાનું મોત, જુઓ વીડિયો:પ્લેટફોર્મ પર ટ્રેકની બાજુમાં હાથ ધોતો હતો અને ટ્રેનની અડફેટે આવી ગયો

Team News Updates

હવા ભરતી વખતે ટાયર ફાટ્યું, ડ્રાઈવર ઊછળ્યો CCTV:બસ સુરતથી ચુરૂ જતી હતી, બસ ચાલક હવામાં આઠ ફૂટ ઉછળીને જમીન પર પડ્યો, ઘટનાસ્થળે જ મોત

Team News Updates

બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરતા ભારતીય નાગરિકત્વનું આપોઆપ સમાપ્ત થવુ ગેરબંધારણીય: LSE પ્રોફેસરની સુપ્રીમ કોર્ટમાં અરજી

Team News Updates