News Updates
NATIONAL

Maharashtra:કપડાની દુકાનમાં આગ લાગી,એક જ ઘરના સાત લોકો આગમાં ભડથું, મરનારમાં 2 બાળકો પણ સામેલ

Spread the love

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા ઉપરના માળે રહેતા એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, બે પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો.

આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગી ત્યારે લોકો ઉપરના માળે સૂતા હતા. તેને નીચે આવવાની તક પણ ન મળી. જેના કારણે સાતેય લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં કુલ 16 લોકો હાજર હતા. પહેલા માળે 7 લોકો, બીજા માળે 7 લોકો અને ત્રીજા માળે 2 લોકો હતા. જેમાં પહેલા માળે હાજર તમામ લોકોનાં મોત થયા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


Spread the love

Related posts

MPના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા પર ધડાકા:7નાં મોત, 100થી વધુ ઘાયલ; રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડ્યા; ગંભીર ઘાયલોને ભોપાલ-ઈન્દોર ખસેડાયા

Team News Updates

સૌથી ધનિક મંદિર વિશ્વનું તિરુપતિ મંદિર: 11 ટન  સોનું ,બેન્ક બેલેન્સ વધીને 18,817 કરોડ થયું હતું;1161 કરોડની FD કરવામાં આવી

Team News Updates

પત્ની પર નજર રાખવા CCTV લગાવ્યાં:પતિના અનેક સ્ત્રી સાથે લફરાંનું કહેતા સાસુએ કહ્યું- આજના જમાનામાં આ નોર્મલ છે, પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકી

Team News Updates