News Updates
NATIONAL

ડિલિવરી બોયના સ્કૂટર પર રાહુલ ગાંધીની સવારી:બેંગલુરુમાં મોદીના રોડ શો પછી હવે રાહુલ-પ્રિયંકા મેદાનમાં ઊતર્યા; સાંજે રાહુલની સભા અને પ્રિયંકાનો રોડ શો

Spread the love

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી આજે 7 સભા કરશે. રાહુલ સાંજે 4 વાગ્યે આનેકલ અને સાંજે 6 વાગ્યે પુલકેશી નગરમાં બે સભાઓ કરશે. આ ઉપરાંત રાત્રે 8.30 કલાકે શિવાજી નગરમાં સભા થશે. રાહુલે બેંગલુરુમાં ડિલિવરી બોયના સ્કૂટર પર પણ સવારી કરી હતી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના પ્રચારના અંતિમ દિવસે મૂડાબીડી, બેંગલુરુ દક્ષિણ અને શિવાજી નગરમાં સભા કરશે. મહાદેવપુરા અને બેંગ્લોર સાઉથમાં રોડ શો પણ કરશે. પ્રિયંકાની પહેલી સભા મોડાબીડીમાં બપોરે 2.30 વાગ્યાથી છે. તે 5:30 થી 8:30 સુધી સભા-રોડ શો કરશે. રાહુલ-પ્રિયંકા પહેલીવાર શિવાજી નગરમાં એક મંચ પર જોવા મળશે.

કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અત્યાર સુધીમાં 44 રેલીઓ, 13 રોડ શો, મહિલાઓ અને યુવાનો સાથે છ સંવાદ તેમજ કાર્યકરો સાથે પાંચ બેઠકો કરી છે.

બેંગલુરુ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી
રાહુલ-પ્રિયંકાના રોડ શોને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. લોકોને રસેલ માર્કેટ સ્ક્વેર, શિવાજી નગર અને પેરિયાર સર્કલ પર સાંજે 6 થી 10 વાગ્યા સુધી ન જવા માટે કહેવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ, સુરજનદાસ રોડ, મહાદેવપુરા મેઈન રોડ, મરાઠાહલ્લી મેઈન રોડ અને વર્તુર કોડી પર સાંજે 5 થી 7 વાગ્યા સુધી ન જવા માટે કહેવામાં આવ્યું છે. બોમનહલ્લી રોડ, બેગુર રોડ અને હોસુર રોડ પર સાંજે 7 થી 9 દરમિયાન જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

સોનિયાએ કહ્યું- બીજેપી એ પાર્ટી છે જેણે લૂંટ કરીને સત્તા કબજે કરી
શનિવારે હુબલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે સોનિયાએ કહ્યું હતું કે ભાજપ એક એવી પાર્ટી છે જે લૂંટ કરીને સત્તા મેળવે છે, તેમને લોકશાહીની પરવા નથી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ધમકી આપી રહ્યા છે કે જો તેઓ નહીં જીતે તો કર્ણાટકના લોકોને પીએમ મોદીના આશીર્વાદ નહીં મળે અને રમખાણો થશે. હું બીજેપીને કહેવા માગું છું કે કર્ણાટકના લોકો કોઈના આશીર્વાદ પર નહીં, પરંતુ પોતાની મહેનત પર આધાર રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે હવે આ રાજ્યના દિવસો બદલાવાના છે.

રાહુલે કહ્યું- હું આતંકવાદથી પીડિત છું, હું તેને વધુ સમજુ છું
રાહુલે હુબલી ઉપરાંત બેલગાવીમાં પણ જાહેર સભાઓને સંબોધી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી કોંગ્રેસ પર આતંકવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવે છે. પરંતુ હું તેના કરતાં આતંકવાદને સારી રીતે સમજુ છું. આતંકવાદીઓએ મારા પરિવારના સભ્યોની હત્યા કરી, મારી દાદીની હત્યા કરી, મારા પિતાની હત્યા કરી. હું પીએમ કરતાં વધુ સારી રીતે સમજુ છું કે આતંકવાદ શું છે અને તે શું કરે છે.


Spread the love

Related posts

National:શુદ્ધિકરણ થયું  મંદિરનું:તિરુપતિ લાડુ વિવાદ,પરિસરમાં 4 કલાક મહાશાંતિ યજ્ઞ; પ્રસાદ બનાવવા માટેનું રસોડું દૂધ, દહીં અને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું

Team News Updates

ભરતપુરમાં ગુજરાતીઓ સાથે તથ્યવાળી:બસની ફાટેલી ડીઝલ પાઇપ જોવા નીચે ઊતરેલાં 12 ગુજરાતીઓને ટ્રકે કચડ્યા, ભાવનગરથી મથુરા જતા હતા

Team News Updates

કાળા જામફળ છે ઔષધીય ગુણોનો ખજાનો, આ રીતે ખેતી કરવાથી ખેડૂતોની આવકમાં થશે વધારો

Team News Updates