News Updates
INTERNATIONAL

પોલિસ પણ રહી હાજર,63 વર્ષના પાદરીએ 12 વર્ષની બાળકી સાથે કર્યા લગ્ન

Spread the love

ઘાનાથી એક આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. અહીં એક 63 વર્ષના પાદરીએ 12 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા. ઘાનામાં ઘણા લોકો દ્વારા આ લગ્નનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના પર પાદરી અને તેમના સમર્થકોએ ઘણી દલીલો આપી છે જે પચાવી શકાય એમ પણ નથી.

ધર્મને લઈને ગમે તેટલી થિયરી આપવામાં આવે. પરંતુ તેની સાચી વ્યાખ્યા શું છે? વિદ્વાનોમાં કે બૌદ્ધિકોમાં કહેવું જોઈએ કે આ અંગે ઊંડો વિરોધાભાસ છે. આજે પણ આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેઓ પોતાના અંગત ફાયદા માટે ધર્મનો ઉપયોગ કરે છે. આ લોકો કેવી રીતે નિર્દોષ લોકોને છેતરવાનો ઢોંગ કરે છે? ઘાનામાં થયેલા લગ્નને જોઈને આ વાતનો ખ્યાલ આવી શકે છે, જેમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને પોલીસને બોલાવવાની સ્થિતિ પણ આવી હતી.

તમને જણાવી દઈએ કે, ઘાનાના નુગુઆમાં 63 વર્ષીય પાદરી ગબોર્બુ વુલોમો નુઉમો બોરકેટે લાવે XXXIIIએ ના ઓક્રોમો નામની 12 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. એક મહેમાન જે આ લગ્નની તરફેણમાં હતો. કહ્યું કે, આ લગ્ન લાંબા સમયથી ચાલતા રિવાજને કારણે થયા છે. જેમાં કહેવાય છે કે પાદરીકુંવારી યુવતી સાથે લગ્ન કરશે.

તેણે ખુલાસો કર્યો કે હાલમાં નુગુઆમાં નવ વર્ષથી વધુ ઉંમરની કોઈ કુંવારી છોકરી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાદરીએ છોકરીને લગ્ન માટે પસંદ કરી હતી જ્યારે તે માત્ર 6 વર્ષની હતી. ઘાનાના પલ્સ અહેવાલ આપે છે કે છોકરી હવે શુદ્ધિકરણ પર કેન્દ્રિત અન્ય પરંપરાગત સમારોહમાં ભાગ લેશે.

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ પછી, છોકરી ગ્બોર્બુ વુલોમોની પત્ની તરીકે તેની અપેક્ષિત જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશે. રસપ્રદ વાત એ છે કે આમાં બાળકો હોવાનો પણ સમાવેશ થાય છે. 63 વર્ષના પાદરીએ 12 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યાના આ સમાચારે વિવાદ સર્જ્યો છે જેના પર ઘણા સંગઠનો પાદરીના સમર્થનમાં આવ્યા છે.

ગ્રેટર અકરા પ્રદેશના નુગુઆના પ્રખ્યાત યાત્રાળુ, ગોર્બુ વુલોમોએ લગ્નનો બચાવ કરતા કહ્યું કે તે (છોકરી) હજુ શાળામાં છે. તે ગ્બોર્બુ વુલોમો સાથે રહેતી નથી. આ લગ્ન પર ખૂબ જ વિચિત્ર દલીલના આધારે કરાયા હોય એમ લાગે છે,પાદરીએ એમ પણ કહ્યું છે કે અમે પરંપરાગત લગ્ન છે.

લગ્ન પહેલાની વિધિ વિશે વાત કરતા, ઘાનામાં સ્ટાર એફએમએ અહેવાલ આપ્યો કે ‘કોઈ પણ પુરુષ છોકરી સાથે શારીરીક સંબંધ ન બાંધે તેના માટે તેમણે આ પગલું ભર્યું હતું, અને આ એક પરંપરા પણ છે.

ચર્ચના પ્રવક્તા, ની બોર્ટે કોફી ફ્રેન્કવા II, લગ્નના ઐતિહાસિક પાસાં અને તેની આધ્યાત્મિક સુસંગતતા પર બોલતા, જણાવ્યું હતું કે ‘ના યોમો આયેમુડેનો પુનર્જન્મ થયો છે. તે એક છોકરી છે જે 300 વર્ષ પહેલા જીવતી હતી અને હવે તેનો આ પુન:જન્મ છે, અને આ બાબતની ખાતરી કરવા આ વીધિ કરવામાં આવી છે,સ્ટાર એફએમના અહેવાલ મુજબ, પાદરીએ તેની સાથે શારીરીક સંબંધ બનાવતા પહેલા બાળકીની પરિપક્વ થવાની રાહ જોવી પડશે.


Spread the love

Related posts

પાકિસ્તાનમાં નવું નાટક:સુપ્રીમ કોર્ટે કહ્યું એક કલાકમાં ઇમરાન ખાનને અહીં હાજર કરો, કોર્ટમાંથી કઇ રીતે તમે ઉઠાવી ગયા?

Team News Updates

 નવો ઈતિહાસ ISRO ફરી રચશે:સોલાર મિશનનું કરશે લોન્ચિંગ,યુરોપિયન સ્પેસ એજન્સીના

Team News Updates

ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ટરનેટ છે ફ્રી,વિશ્વનો એકમાત્ર દેશ જે સંપૂર્ણપણે છે ડિજિટલ

Team News Updates