News Updates
INTERNATIONAL

નાઈજીરીયાના પ્રવાસે રવાના થયા PM મોદી:17 વર્ષ પછી ભારતીય PMની મુલાકાત; અહીં 150+ ભારતીય કંપનીઓ, 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે લગભગ 1.30 વાગે નાઈજીરીયાના પ્રવાસે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ અહેમદ ટીનુબુના આમંત્રણ પર તેઓ પ્રથમ વખત નાઈજીરીયાની મુલાકાતે છે.

17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઈજીરીયાની આ પ્રથમ મુલાકાત હશે. મોદી પહેલા 2007માં તત્કાલિન પીએમ ડૉ.મનમોહન સિંહ નાઈજીરિયા ગયા હતા.

પીએમ મોદી રવિવારે રાષ્ટ્રપતિ ટીનુબુને મળશે. તેમની વચ્ચે ભારત-નાઈજીરીયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. આ પછી મોદી રાજધાની અબુજામાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

નાઈજીરીયામાં 150થી વધુ ભારતીય કંપનીઓ છે, જેનું ટર્નઓવર રૂ. 2 લાખ કરોડથી વધુ છે.

તેલ અને ગેસના વિશાળ ભંડારને કારણે નાઇજીરીયા આફ્રિકાના મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે. આ દેશ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે. આફ્રિકામાં ભારતીયોનું રોકાણ સતત વધી રહ્યું છે, ખાસ કરીને ઉર્જા, ખાણકામ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં.

નાઈજીરીયા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC) અને ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC)નું એક મહત્વપૂર્ણ સભ્ય છે. આ બંને સંસ્થાઓ ભારતની કૂટનીતિ અને આર્થિક નીતિ માટે મહત્વપૂર્ણ છે.

આઝાદી બાદ ભારતે આફ્રિકન દેશોની આઝાદીને જોરદાર સમર્થન આપ્યું હતું. નાઈજીરીયાની આઝાદી પહેલા જ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆત થઈ હતી. ભારતે 1958માં નાઈજીરીયામાં રાજદ્વારી ગૃહની સ્થાપના કરી હતી. નાઈજીરિયાને 2 વર્ષ પછી આઝાદી મળી.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સપ્ટેમ્બર 1962માં નાઈજીરીયાની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનો પાયો નાખવામાં આવ્યો હતો.

ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જ્યારે નાઈજીરીયા આફ્રિકાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. નાઈજીરીયાની વસતિ (23 કરોડ) ઉત્તર પ્રદેશ (24 કરોડ) કરતા ઓછી છે, પરંતુ આ દેશ સૌથી ઝડપથી વિકસતા દેશોમાં સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે 2050 સુધીમાં નાઈજીરીયાની વસતિ 400 મિલિયન થઈ જશે. ત્યારે ભારત ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ હશે.

BBC અનુસાર, નાઈજીરીયા બે ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર ભાગમાં જ્યાં મુસ્લિમોની બહુમતી છે ત્યાં ગરીબી વધારે છે. દક્ષિણ અને પૂર્વ નાઇજીરીયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી વસતિ છે. આ વિસ્તાર વધુ સમૃદ્ધ છે. ખ્રિસ્તીઓના વિરોધ છતાં ઉત્તરના ઘણા રાજ્યોએ ઈસ્લામિક શરિયા કાયદો અપનાવ્યો છે. જેના કારણે બે સમુદાયો વચ્ચે ઝઘડા થયા છે.


Spread the love

Related posts

2 ચીની એન્જિનિયરોના મોત, કરાચીમાં વિસ્ફોટ:BLA બળવાખોરોએ હુમલાની જવાબદારી લીધી; ચીને ગુનેગારોને સજાની માગ કરી

Team News Updates

રશિયન યુદ્ધ જહાજો 13,000 કિમી પેટ્રોલિંગ કર્યા પછી પરત ફર્યા:જાપાન- અમેરિકાની નજીકથી પસાર થયા; ચાઈનીઝ જહાજો સાથે પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું

Team News Updates

અમેરિકાની કંપનીએ ઇતિહાસ રચ્યો; ભારતના ચંદ્રયાન-3 બાદ US સાઉથ પોલ પર ઉતરનાર બીજો દેશ બન્યો

Team News Updates