News Updates
NATIONAL

Jammu Kashmir:સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા, 7ને બચાવ્યા,4નાં મોત ;શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી

Spread the love

મંગળવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સ્કૂલના બાળકો સહિત 11 લોકો હતા. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, 7 લોકોને બચાવી લેવાયા છે.

આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી બટવારા જાય છે. છેલ્લાં 48 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે બોટ પલટી ગઈ હતી.

અકસ્માત બાદ તરત જ સ્થાનિક ખલાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડી વાર પછી પોલીસ અને SDRFની ટીમ પણ બચાવમાં લાગી ગઈ.

બચાવાયેલા 7 લોકોમાંથી 3ની સારવાર ચાલી રહી છે. માર્યા ગયેલાઓમાં શબીર અહેમદ (26), ગુલઝાર અહેમદ (41), 32 અને 18 વર્ષની બે મહિલાઓનો સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સ્થાનિક બોટ માલિકો દરરોજ લોકોને ગાંદરબલથી બટવારા લઈ જાય છે. આજે જે બોટ પલટી ગઈ તેમાં શાળાના બાળકો, તેમના માતા-પિતા અને મજૂરોનો સમાવેશ થાય છે. આ લોકો દરરોજ આવી જ બોટમાં જેલમ નદી પાર કરતા હતા.


Spread the love

Related posts

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર Train, 15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાંથી દોડશે 

Team News Updates

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે CRS રિપોર્ટમાં મોટો ખુલાસો, કહ્યું- લોકેશન બોક્સના વાયરિંગમાં હતી ગડબડી

Team News Updates

શિક્ષક ભરતી કૌભાંડમાં CBIએ અભિષેક બેનર્જીની પૂછપરછ શરૂ કરી:કોલકાતા હાઈકોર્ટે આપી પરવાનગી; મમતાએ કહ્યું- કેન્દ્રની એજન્સી-રાજે અમારા કામને પડકારજનક બનાવ્યું

Team News Updates