News Updates
GUJARAT

લાખોનો માલસામાન બળીને ખાખ,MGVCLની બેદરકારીથી આગ લાગી હોવાનો આક્ષેપ;પેકેજીંગ કંપનીમાં આગ

Spread the love

આણંદ તાલુકાના મોગરી-ગાના રોડ પર આવેલ એક પેકેજીંગ કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગને કાબુમાં લેવા માટે આણંદ અને વિદ્યાનગરના ફાયર બ્રિગેડના ચાર ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી. પરંતુ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો છે. આ આગ MGVCL ની બેદરકારીને કારણે લાગી હોવાનો આક્ષેપ કંપનીના માલિકે કર્યો છે.

આણંદ તાલુકાના મોગરી-ગાના રોડ પર મફતપુરા ગામની સીમમાં સનરાઈઝ પેકેજીંગ કંપની આવેલી છે. આ કંપનીમાં ગત રોજ રાત્રીના સમયે એકાએક આગ લાગી હતી. કંપનીમાં કાગળ, પુઠા સહિતનો માલસામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. જોતજોતામાં આ આગ વિકરાળ બની હતી. આ આગની ઘટના અંગેની જાણ થતાં આણંદ અને વિદ્યાનગર ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ચાર ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી હતી અને સતત દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, કંપનીમાંનો મોટા ભાગનો માલસામાન તેમજ એક ટેમ્પી બળીને ખાખ થવાથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

આ અંગે સનરાઈઝ પેકેજીંગ કંપનીના માલિક નરેશ બાબુભાઈ શાહ જણાવે છે કે, મારી કંપની ઉપરથી GEB ના વાયરો પસાર થાય છે. આ વાયરો બાબતે મેં GEB માં ચારથી પાંચ વખત ફરીયાદ આપી છે. જ્યારે-જ્યારે ફરીયાદ આપીએ ત્યારે માણસો આવીને વાયર બદલી જતાં હતાં. પરંતુ, આ વખતે કામ બરાબર કર્યું નહીં હોય એટલે વાયરમાંથી તણખાં મારી ટેમ્પી ઉપર પડ્યાં અને આ આગ લાગી.


Spread the love

Related posts

અમરાપુર ગીર ને પી જી વી સી એલ દ્વારા માળિયા હા. સબ ડિવઝન માથી મેંદરડા માં સમાવેશ કરતા વિરોધ સ્થાનિકો દ્વારા વિરોધ, આવેદન પત્ર આપી આંદોલનની ચીમકી

Team News Updates

OREVA કંપનીનાં JAYUSUKH PATELનાં જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજુર

Team News Updates

ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે

Team News Updates