News Updates
SURAT

SURAT:કોઈ ડોકિયું નથી કરતું કેમ? 2 દિવસથી લાઈન લીકેજ થતાં રોડ પર પાણી વેડફાઈ રહ્યું છે હીરાબાગ સર્કલ પાસે 

Spread the love

સુરતના હીરાબાગ મેઇન રોડ પર પીવાની લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી રોડ પર વેડફાયું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે હીરાબાગ સર્કલ પાસે મેઇન રોડ પર પીવાના પાણીની મેઇન લાઈનમાં લીકેજ થતા રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસ્દી પણ લીધી નથી.

થોડા દિવસ પહેલા સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઈનમાં લીકેજ હોવાથી પાણીની લાઈનને રિપેરિંગ કરવામાં આવી હતી. ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મહત્વનું છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતાં પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. બે દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે મેઇન લાઇનનું રિપેરિંગ ક્યારે થાય તે જોવું રહ્યું.


Spread the love

Related posts

સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

Team News Updates

SURAT:દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ સુરતના ડીંડોલીમાં,ઓપરેશન કરી બાળકીને બચાવાઈ

Team News Updates

SURAT:સુરત મહાનગરપાલિકા બનાવતી ‘કાળું સોનું’ :ધાર્મિક સ્થળોએથી ફૂલો-હાર સહિતનો હજારો કિલો વેસ્ટ એકઠો કરી પ્લાન્ટમાં લઈ જવાય છે; અળસિયાના મળમાંથી બને છે ખાસ ખાતર

Team News Updates