News Updates
AHMEDABAD

Ahmedabad:અદભુત શણગાર કરવામાં આવ્યા ભગવાનને ચંદન અને પુષ્પના, ભગવાનને ઠંડકનો અનુભવ અસહ્ય ગરમીમાં  શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર

Spread the love

સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર અમદાવાદ ખાતે જેઠ માસમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિ ભાવથી ચંદન અને પુષ્પોના અદભુત શણગાર કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગરમીમાં ભગવાનને ચંદનના શણગાર કરવામાં આવે છે તે શણગાર એ.સી. કરતા પણ વધુ ઠંડક આપે છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઉનાળામાં ચંદનના વાઘાના શણગાર કરવામાં આવે છે.

આ વખતે કુમકુમ મંદિરમાં સૌ પ્રથમ વખત ભગવાનને ચંદનના શણગારની સાથે – સાથે એની ઉપર રંગબેરંગી પુષ્પ લગાવવામાં આવ્યા હતા. જેથી ભગવાનના વાઘા અદભુત બન્યા હતા. જે દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.


Spread the love

Related posts

વેપારીને પૈસા ન આપી છેતરપિંડી આચરી:અમદાવાદમાં બિલ્ડિંગ મટિરિયલનો માલ ખરીદીને 8.61 લાખ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Team News Updates

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપી લોકોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો, ગુજરાત ATSએ મુંબઈમાં દબોચ્યો, અમદાવાદ બાદ જૂનાગઢ લઈ જવાશે

Team News Updates