News Updates
AHMEDABAD

Ahmedabad:અદભુત શણગાર કરવામાં આવ્યા ભગવાનને ચંદન અને પુષ્પના, ભગવાનને ઠંડકનો અનુભવ અસહ્ય ગરમીમાં  શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર

Spread the love

સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર અમદાવાદ ખાતે જેઠ માસમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિ ભાવથી ચંદન અને પુષ્પોના અદભુત શણગાર કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગરમીમાં ભગવાનને ચંદનના શણગાર કરવામાં આવે છે તે શણગાર એ.સી. કરતા પણ વધુ ઠંડક આપે છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઉનાળામાં ચંદનના વાઘાના શણગાર કરવામાં આવે છે.

આ વખતે કુમકુમ મંદિરમાં સૌ પ્રથમ વખત ભગવાનને ચંદનના શણગારની સાથે – સાથે એની ઉપર રંગબેરંગી પુષ્પ લગાવવામાં આવ્યા હતા. જેથી ભગવાનના વાઘા અદભુત બન્યા હતા. જે દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.


Spread the love

Related posts

ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત, 10ને ઈજા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

Team News Updates

સ્વામિનારાયણ મંદિરના રેસ્ટોરન્ટના ફૂડમાં જીવડું:અમદાવાદના શાહીબાગની પ્રેમવતીની મોરૈયામાંથી મરેલું જીવડું નીકળ્યું, ગ્રાહકે કહ્યું-તમારી કોઈ વસ્તુ નહીં ભાવે

Team News Updates

ગુજરાતમાં એન્જિ.ના પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂર્ણ:વિદ્યાર્થીઓની બ્રાન્ચ પસંદગીને જોતા ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે, કોમ્પ્યૂટર અને ITની ભરમાર

Team News Updates