News Updates
RAJKOT

10 વર્ષના બાળકનું હાર્ટ-એટેકથી મોત, રાજકોટમાં બે દિવસ ઝાડા-ઊલટી રહ્યા બાદ

Spread the love

રાજકોટમાં હાર્ટ-એટેકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગઇકાલે (28 જુલાઈ) 10 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખની છે કે, બાળકને અગાઉ બે દિવસ ઝાડા-ઊલટી થયા હતા. જે બાદ અચાનક હાર્ટ-એટેક આવી જતા બાળકનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતાં નેમિશભાઈ ધામેચાના ધોરણ 4માં અભ્યાસ કરતા પુત્ર પૂર્વાગને બે દિવસથી ઝાડા-ઊલટી હતાં. જેથી પાસેના ક્લિનિકમાંથી પરિવારે દવા લીધી હતી અને ત્યાં તબીબે ઈન્જેકશન આપી સારવાર આપી હતી. જ્યારે ગઇકાલે તે જમવા બેઠો હતો, ત્યારે ઊલટી થતાં તે બેભાન થઈને ઢળી પડયો હતો.

અચાનક બેભાન થઇ ઢળી પડતા પરિવારજનોએ 108ને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસી બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ત્યાર બાદ 108 સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોસમોર્ટમના પ્રાથમિમ રિપોર્ટના તારણમાં બાળકને હાર્ટ-એટેક આવ્યાનું સામે આવ્યું છે.


Spread the love

Related posts

‘સની પાજી દા ઢાબા’ ફરી વિવાદમાં:રાજકોટ ફૂડ વિભાગના દરોડામાં 10 કિલો વાસી પનીર અને 7 કિલો પ્રિપેડ ફૂડ મળ્યું, ઠેર-ઠેર ગંદકીના ગંજ

Team News Updates

કોંગ્રેસની CPને રજૂઆત:મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાનું વાવેતર મળવા અંગે જવાબદારો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહીની માગ કરાઈ

Team News Updates

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates