News Updates
SURAT

 3 સંતાનના પિતાએ 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું:સુરતમાં શ્રમિક પરિવારની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી વતન લઈ ગયો હતો, પોલીસે ધરપકડ કરી

Spread the love

સુરતના અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને ત્રણ સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે સગીરાનું પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરૂષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા 28 વર્ષીય મહંમદ જુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, બનાવની ગંભીરતા જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મિનાક્ષીબેન, હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ ભડિયાદરા સહિત સ્ટાફને બિહારના દરભંગા રવાના કર્યા હતા. જ્યાં પોલીસે દરભંગા નજીકના પાલી, ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. બંનેને લઈને સુરત પહોંચ્યા હતા. સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું જણાવ્યું હતું. સગીરાને લગ્ન કરવાના ઇરાદે વતનમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.


Spread the love

Related posts

60 લાખનું સોનું નીકળ્યું પેસ્ટ ઓગાળી તો,જ્વેલરે તપાસ કરતા જ રહસ્ય ખૂલ્યું,દુબઈથી આવતી સ્મગલિંગ ગેંગની ટ્રાવેલ બેગ ચેક કરી તો પેસ્ટ મળી

Team News Updates

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો:સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સાસરિયાંએ ત્રાસ આપતાં પગલું ભર્યું, છેલ્લા વીડિયોમાં પતિને જવાબદાર ઠેરવ્યો

Team News Updates

POICHA:પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન,પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન

Team News Updates