News Updates
ENTERTAINMENT

બિશ્નોઈ સમાજની માફી માગો અને મામલો પતાવો,સલમાનને સલાહ ભાજપના પૂર્વ સાંસદની કહ્યું- વ્યક્તિથી ભૂલ થાય

Spread the love

NCP નેતા બાબા સિદ્દીકની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેને સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી છે.

NCP નેતા બાબા સિદ્દીકની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેને સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી છે.

હરનાથ સિંહ યાદવની પોસ્ટ પર લોકો ઘણા લોકો રિએક્શન આપી રહ્યા છે અને સલમાન ખાનથી ગુસ્સે થઈ રહ્યા છે. જો હરનાથ સિંહની વાત કરીએ તો તેઓ ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ છે.

1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને તેના કો-સ્ટાર્સ સાથે મળીને કાળા હરણનો શિકાર કર્યો હતો. આ કેસમાં પહેલીવાર સલમાન ખાનની 12 ઓક્ટોબર 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 17 ઓક્ટોબર 1998ના રોજ જોધપુર જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા.

5 એપ્રિલ, 2018 ના રોજ, અભિનેતાને કાળા હરણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 5 વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી. આ પછી, 7 એપ્રિલ, 2018 ના રોજ, 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જોકે, કાળા હરણના શિકાર મુદ્દે બિશ્નોઈ સમુદાય તેમનાથી નારાજ છે અને તેમને સતત માફી માંગવા માટે કહી રહ્યો છે. આ કારણોસર બિશ્નોઈ ગેંગ તેની પાછળ પડી છે.

અગાઉ પણ સતત ઈ-મેલ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. પનવેલ ફાર્મ હાઉસની રેક પણ કરવામાં આવી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે ફાયરિંગ બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે બાબા સિદ્દીકીની હત્યાએ માત્ર રાજકારણ જ નહીં બૉલીવુડને પણ હચમચાવી દીધું છે.


Spread the love

Related posts

16.10 કરોડ રૂપિયા ગુમાવ્યા વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ IPL ઓક્શનમાં;ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો

Team News Updates

‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’ના અસિત મોદી પર પ્રહાર:કહ્યું, ‘સેટ પર અભિનેતાઓને મનાસિક રીતે હેરાન કરાય છે, મને પણ માખીની જેમ ફેંકી દીધી, જેનિફર અને મોનિકા જે કહે છે એ જરાય ખોટું નથી’

Team News Updates

‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મના 22 વર્ષ પૂર્ણ:કરન જોહર સેટ પર બેહોશ થઈ ગયો, કાજોલે શેર કર્યા રસપ્રદ કિસ્સાઓ

Team News Updates