News Updates
GUJARAT

Kartik Purnima 2024:સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને સમય, ક્યારે છે કારતક પૂનમ, જાણો અહી તારીખ

Spread the love

 દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે.

આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળ મળે છે.

વૈદિક કેલેન્ડર મુજબ કારતક મહિનાની પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ સવારે 6.19 કલાકે શરૂ થશે. પૂર્ણિમા તિથિ 16 નવેમ્બરના રોજ સવારે 2:58 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કારતક પૂર્ણિમા 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 4.58 થી 5.51 સુધીનો રહેશે. તેમજ આ દિવસે ચંદ્રોદય સાંજે 4.51 કલાકે થશે.

પંચાંગ અનુસાર દેવ દિવાળી પર પ્રદોષ કાલ મુહૂર્ત 15 નવેમ્બરે સાંજે 5.10 થી 7.47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનો કુલ સમય 2 કલાક 37 મિનિટનો રહેશે.


Spread the love

Related posts

Weather:અંબાલાલ પટેલે શું કરી છે આગાહી,ભર શિયાળામાં ગુજરાતમાં પડી શકે છે વરસાદ

Team News Updates

હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર

Team News Updates

રાંદલ વખતે ઘોડો કેમ ખુંદાય છે?:શિવપુરાણમાં નરકના પ્રકાર વર્ણવ્યા છે, તમે કેવાં કર્મ કરો તો નરકમાં જવાનું થાય?

Team News Updates