News Updates
RAJKOT

જલારામ જયંતિની ઉજવણી વીરપુર પહોંચ્યા 45 સાયકલ સવાર 500 કિલોમીટરનું અંતર કાપી:એક એક કિલોની કેકના 225 ટૂકડા રાખી કેક કટિંગ કરાઈ

Spread the love

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ વિદેશમાં પ્રસિદ્ધ સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ઉજવણી નિમિતે 225 કિલોની કેક કાપીને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 225મી જન્મ જયંતિ હોવાથી ક્રમપ્રમાણે 225 નંબર રાખી એક એક કિલોની કેકના ટૂકડા રખાયા હતા અને જલારામ બાપાની આરતી ઉતારી કેક કટિંગ કરાઈ હતી. જેને ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદી તરીકે આરોગી હતી.

જલારામ બાપાની જયંતિ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું છે અને ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો. જલારામ જયંતિ નિમિત્તે વિરપુર પગપાળા અને સાયકલ દ્વારા અનેક સંઘો આવે છે. સાયકલ સવાર સંઘ પટેલ બ્રધર્સ ગ્રુપ સતત ત્રીજા વર્ષે સુરતના ઉનથી વિરપુર પહોંચ્યું છે. 45 સાયકલ સવાર ચાર દિવસમાં 500 કિલોમીટરનું અંતર કાપી જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા.


Spread the love

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખના ખર્ચે રમત-ગમતના સાધનો ખરીદ્યા, જૂના સાધનો ધૂળ ખાય રહ્યા છે, બાસ્કેટબોલના પોલ કાપી નાખ્યાં

Team News Updates

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates

‘કાળિયા’ રોગથી ઘઉંમાં કાળો કેર:વાતાવરણમાં બદલાવથી ઉપદ્રવ વધ્યો, વીઘે 50 મણની જગ્યાએ માત્ર 15 મણ ઉત્પાદન થશે, શું છે રોગના લક્ષણો, અટકાવવા શું કરવું?

Team News Updates