News Updates
SURAT

બોલ્યા PM મોદી સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં….કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા..

Spread the love

સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને PM મોદીએ ભાવિક ભક્તોને સંબોધીત કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરમાં રુ.200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતુ.

ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાને આજે 200 વર્ષ પુરા થતા દ્વિશતાબ્દી મહોત્સવના ભાગ રુપે આજે PM મોદી વર્ચ્યુઅલી જોડાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ 200ના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું છે.

સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને PM મોદીએ ભાવિ-ભક્તોને સંબોધીત કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરમાં રુ.200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતુ. આજે દ્વિશતાબ્દી મહોત્સવાનો 5મોં દિવસ છે. ત્યારે સમગ્ર વડતાલ મંદિર પરિસરમાં જબરદસ્ત ઉજવણી કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે 200 વર્ષ પહેલા જે સ્વામીનારાયણ મંદિરની સ્થાપના ભગવાન સ્વામીનારાયણે કરી હતી તેની આધ્યાત્મિક ચેતનાને અમે આજે પણ જાગૃત રાખી છે. આ સાથે કહ્યું કે આ પ્રસંગે ભારત સરકારે 200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કરી રહ્યા છે. PMએ સ્વામીનારાયણ સંપ્રદાયના ચરણોમાં નમન કર્યા હતા અને ભક્તોને આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈ ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.


Spread the love

Related posts

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો:સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સાસરિયાંએ ત્રાસ આપતાં પગલું ભર્યું, છેલ્લા વીડિયોમાં પતિને જવાબદાર ઠેરવ્યો

Team News Updates

એશિયાની નામાંકીત સુગર ફેક્ટરી નવી સિઝનમાં 48,450 એકરમાંથી શેરડી મેળવી 14 લાખ ટન પિલાણ કરશે‎

Team News Updates

15 વર્લ્ડ રેકોર્ડ ભારતના એકમાત્ર યુવકના નામે; હાલમાં જ સુપર એથ્લિટનો રેકોર્ડ તોડ્યો,આ સ્ટંટમેનના અક્ષયકુમાર પણ દીવાના

Team News Updates