News Updates
ENTERTAINMENT

IPLમાંથી બહાર 10 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના 

Spread the love

IPL 2025 ઓક્શનમાં જ્યાં એક તરફ રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી, તો બીજી તરફ કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ પણ હતા જેમને કોઈ ખરીદનાર ન મળ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા ટીમ ઈન્ડિયા તરફથી નેશનલ ટીમમાં રમી ચૂક્યા છે અને ક્રિકેટજગતના બહુચર્ચિત ખેલાડીઓ છે. અમે તમને ટીમ ઈન્ડિયાના એવા 10 ખેલાડીઓ વિશે જણાવીએ જે IPL ઓક્શનમાં વેચાયા ન હતા.

IPLની હરાજીમાં સૌથી ચર્ચિત ખેલાડી જે વેચાયો નહીં તે પૃથ્વી શો હતો. આ ખેલાડી લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો, પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં તેનું ખરાબ પ્રદર્શન અને નબળી ફિટનેસ આ ઓક્શનમાં તેને ભારે પડી હતી અને કોઈ ટીમી તેના પર બોલી ન લગાવી.

માત્ર શો જ નહીં, સરફરાઝ ખાનને પણ IPLમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. સરફરાઝે 2021થી IPL રમી નથી. આ ટૂર્નામેન્ટમાં તેણે 40 મેચમાં 23.21ની એવરેજથી 441 રન બનાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે સરફરાઝને ટેસ્ટ બેટ્સમેનનું લેબલ લાગી ગયું છે.

શાર્દુલ ઠાકુર ગત સિઝન સુધી CSKમાં હતો પરંતુ આ વખતે તેને કોઈ ખરીદનાર મળ્યો નથી. આ બીજી વખત છે જ્યારે 2015થી IPLમાં રમી રહેલા શાર્દુલને કોઈ ટીમે ખરીદ્યો નથી. શાર્દુલ વર્ષ 2016માં પણ IPLમાં રમ્યો ન હતો. ગત સિઝનમાં શાર્દુલ 9 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો હતો, જેના કારણે તેને આ વર્ષે કોઈ ખરીદનાર મળ્યો નથી.

IPLમાં ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂકેલા ઉમેશ યાદવને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે ઉમેશે ગુજરાત માટે 8 વિકેટ લીધી હતી. IPL કારકિર્દીમાં તેણે 144 વિકેટ ઝડપી છે પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી.

નવદીપ સૈની, શિવમ માવી, ચેતન સાકરિયા, સંદીપ વોરિયરને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યા છે. કૃષ્ણપ્પા ગૌતમને ઓલરાઉન્ડરમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. વિકેટકીપર કેએસ ભરત પર કોઈએ દાવ લગાવ્યો નહીં.


Spread the love

Related posts

શૂટિંગ દરમિયાન કોઈ હસતું તો સંદીપ વાંગા ગાળો ભાંડતા:’એનિમલ’ ફેમ એક્ટર કેપીએ કહ્યું, ‘દીકરીના જન્મ પછી રણબીર તરત જ સેટ પર પહોંચી ગયો હતો’

Team News Updates

ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી

Team News Updates

વિકી કૌશલ સ્ટારર ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું ટ્રેલર આઉટ:સિંગર ભજન કુમાર બન્યો વિકી કૌશલ, ફિલ્મની વાર્તા પરિવાર અને ધર્મ સાથે જોડાયેલી છે

Team News Updates