News Updates
RAJKOTSAURASHTRA

ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા

Spread the love

રાજકોટના ગોંડલ પંથકમાં માવઠાથી ખેતરોમાં પાક બરબાદ થતાં ખેડૂતો પાકને બચાવવા લણણી કરવા લાગ્યા. વરસાદથી થયેલા નુકશાનને પગલે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતોએ કરી.

રાજ્યમાં કમોસમી વરસાદે જગત ના તાત ને દુઃખી કર્યો છે અને મોટા પ્રમાણ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ થી શિયાળુ પાક માં પણ ખેડૂતો ને ઘઉં – ધાણા – લસણ જેવા વિવિધ પાકોમાં વ્યાપક નુકશાન થયું હતું. જોકે હાલ સમયમાં ઉનાળુ સીઝનના વિવિધ પાકોમાં મોટા ભાગના પાક ખેડૂતોના તૈયાર હતા, જેના પર કમોસમી વરસાદી માવઠાથી તલ – ડુંગરી – અડદ – મગ જેવા અનેક પાકો માં વરસાદી પાણી પડતા ખેડૂતો નો પાક નાશ પામ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં માવઠાથી ખેતરોમાં પાક બરબાદ થતાં ખેડૂતો પાકને બચાવવા લણવી કરવા લાગ્યા.  નુકશાનને પગલે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતોએ કરી.

ગોંડલ તાલુકા માં 2 દિવસ પૂર્વે પડેલા મોસમી વરસાદ થી તાલુકાના ગોમટા – નવાગામ – લીલાખા – વાસાવડ – દેરડી સહીત ના ગામો માં ખેડૂતો ના તૈયાર પાકો બરબાદ થાય ગયા છે. મોટા ભાગ ના ખેડૂતોને મોટા પ્રમાણ માં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનુ છે કે હજી પણ વરસાદની આગાહી યથાવત છે. જેને પગલે ખેડૂતો પોતાના ખેતરમાં બચેલા પાકો ને લણવામા જોતરાયા ગયા છે. જોકે વરસાદમાં થયેલ નુકશાન અંગે ખેડૂતો દ્વારા સરકાર કોઈરાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી.


Spread the love

Related posts

ચાઈનીઝ લસણ:ગોંડલ માર્કેટ યાર્ડમાંથી 600 કિલો ચાઈનીઝ લસણ મળતા લોકોમાં ખળભળાટ

Team News Updates

પાંચમા દિવસે પણ રામ ભરોસે:રાજકોટમાં PGVCL સામે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોએ કહ્યું – ‘ટાઢ-તડકો અને ભૂખ સહન કરીને પણ ન્યાય માટે લડીશું’

Team News Updates

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates