News Updates
NATIONAL

રાજ્યમાં 7મી મે એ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને તંત્ર થયુ સજ્જ, ઉમેદવારોના કોલ લેટર સાથે થશે વીડિયોગ્રાફી, 8.64 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

Spread the love

રાજ્યમાં 7મી મે એ તલાટીની પરીક્ષા યોજાશે. જેમા 8.19 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. GPSSBના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ કે પરીક્ષામાં ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

રાજયમાં આગામી 7 મે રવિવારે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ બની ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે. ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ગુજરાતમાં યોજાશે. ઉમેદવારોના કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે.

પોલીસ અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં સતત નજર રાખશે. ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે એસટી અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેરરીતિ અંગે ઉમેદવારો 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે. પરીક્ષા પાસ થયા બાદ નિમણૂંક સમયે પરીક્ષા સમયની વીડિયોગ્રાફી મેચ કરાશે.

પરીક્ષા આપનારની જ નિમણુંક થઇ છે કે કેમ તેની તપાસ થશે. ડમી ઉમેદવારોને કેવીરીતે પકડવા તે અંગેની ટ્રેનિંગ પણ અપાઈ છે. હાજર થવા પર ઉમેદવારોના હાથની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. તલાટીની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષે દાવો કર્યો હતો.


Spread the love

Related posts

દેશભક્તિની અનુભૂતિ કરવા માટે તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો, તમારા બાળકોને એકવાર ચોક્કસ લઈ જાઓ

Team News Updates

મોદીએ સાગરમાં સંત રવિદાસ મંદિર-સ્મારકનો પાયો નાખ્યો:100 કરોડમાં બનશે; PMએ કહ્યું- રવિદાસે કહ્યું હતું કે પરાધીનતા એ સૌથી મોટું પાપ છે

Team News Updates

જો વિક્રમ અને પ્રજ્ઞાન આજે ફરી કામ કરતા ના થાય તો શું ચંદ્રયાન સમાપ્ત થશે ?

Team News Updates