News Updates
NATIONAL

TATAની ફેક્ટરીમાં આગ લાગી ભીષણ, 1500 કર્મચારીઓને બચાવાયા

Spread the love

TATAની માલિકીની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગનો વીડિયો પણ સામે આવ્યો છે. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે સવારની પાળી દરમિયાન ફેક્ટરીમાં લગભગ 1500 કર્મચારીઓ હાજર હતા અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

તામિલનાડુના હોસુરમાં TATA ઈલેક્ટ્રોનિક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ (ટાટા ઈલેક્ટ્રોનિક પ્લાન્ટ)માં શનિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે કર્મચારીઓએ જગ્યા ખાલી કરવી પડી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આગને કારણે સંપત્તિને ઘણું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે.

તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં સ્થિત ટાટા ગ્રુપ કંપનીના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. હોસુર નજીક થિમજેપલ્લી પંચાયત હેઠળના કુથનપલ્લી ગામમાં આવેલી ફેક્ટરીમાં આજે સવારે આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે સમગ્ર ફેક્ટરી કાળા ધુમાડાથી ઢંકાઈ ગઈ હતી. તેમજ સમગ્ર આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ કામદારો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભયાનક આગ જોઈને વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

એવું કહેવામાં આવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરનારા ત્રણ કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ ચાલુ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે સવારની પાળી દરમિયાન ફેક્ટરીમાં લગભગ 1500 કર્મચારીઓ હાજર હતા અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

તે જ સમયે, આ મામલે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડનું નિવેદન પણ સામે આવ્યું છે. કંપનીએ કહ્યું કે તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. પ્લાન્ટ ખાતેના અમારા ઇમરજન્સી પ્રોટોકોલ્સે સુનિશ્ચિત કર્યું કે અમારા તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લઈશું.


Spread the love

Related posts

100 વર્ષ જૂનું ઘી 1200 માટલામાં સુરક્ષિત:નથી પીગળતું, નથી ખરાબ થતું, મહાદેવની જ્યોત એનાથી પ્રકટે છે; મહિલા-બિનબ્રાહ્મણો પર પ્રતિબંધ

Team News Updates

2014માં જાહેરાત થઈ,  કેપિટલ બનાવવામાં 25,000 કરોડનો ખર્ચ,  સત્તાવાર રાજધાની બનશે 12 જૂનથી અમરાવતી આંધ્રની

Team News Updates

મણિપુર હિંસા પર ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર, ગંભીરતાને પારખી કર્ણાટક પ્રવાસ રદ્દ

Team News Updates