News Updates
GIR-SOMNATHGUJARAT

વેરાવળમાં પવનની ગતિમાં વધારો થતાં સોમનાથની બહાર લગાવેલ ડોમના ભારે પવનના કારણે ડૂચા ઉડ્યા

Spread the love

જાલેશ્વર વિસ્તારમાં એક મકાન ધરાશાયી, 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નાળિયેરીના પાકમાં નુકસાન

વેરાવળમાં મંગળવારે વરુણદેવએ વિરામ લીધો હતો પરંતુ પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો.જાલેશ્વર વિસ્તાર પણ દરિયાકાંઠે આવેલ હોવાથી પ્રભાવિત થયો હતો જેના પગલે એક મકાન પણ ધરાશાયી થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.ભારે પવનના કારણે શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલા હોર્ડિંગસ્ પણ ઉખડી ગયા હતા.જ્યારે સોમનાથમાં યાત્રિકો માટે બનાવવામાં આવેલ મહાકાય ડોમ પણ આ પવનની ગતિ ખમી શક્યું ન હતું.


જેના લીધે આ ડોમના ડૂચા નીકળી ગયા હતા.વેરાવળ સિટી પોલીસના પીઆઈ એસ.એમ. ઈશરાણી, પીએસએસ એ.એસ.સિંધવ, પીએસઆઇ સુવા સહિતના સ્ટાફે પણ સતત વોચ ગોઠવી અને આવેગનો સાથે ઝાલેશ્વર વિસ્તારના 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફુંકાવાને કારણે ખેડૂતો ખાસ કરીને નાળિયેરીના પાકને લઇને ચિંતિત બન્યા હતા કારણે નાળિયેરીના પાકને તૈયાર કરવા માટે 5 થી 6 વર્ષ નીકળી જાય છે જ્યારે આ પવનના કારણે ધરાશાયી થાય તો 5 વર્ષની મહેનત પાણીમાં જાય છે.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

નદીમાં ખાબકી 55 મુસાફર ભરેલી બસ: 12 મુસાફર ઇજાગ્રસ્ત;રણુજાથી પરત ફરતી દર્શનાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત

Team News Updates

હરિયાણાના ઝજ્જર નજીક થયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યુવકોના મોત, રાજસ્થાનના એક યુવકનું પણ મોત, અન્ય એક ગંભીર

Team News Updates

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Team News Updates