News Updates
GUJARAT

દુનિયાના આ 3 લોકો પાસપોર્ટ વગર કોઈપણ દેશમાં જઈ શકે છે! શું તમે જાણો છો કે આ ત્રણ લોકો કોણ છે?

Spread the love

દુનિયામાં ત્રણ એવા લોકો છે જે પાસપોર્ટ વગર દુનિયાભરમાં ફરી શકે છે. આ ખાસ લોકોને પાસપોર્ટની જરૂર હોય છે, પરંતુ તેમને ડિપ્લોમેટિક પાસપોર્ટ આપવામાં આવે છે, જેનો પોતાનો અલગ પ્રોટોકોલ હોય છે.

કોઈપણ અન્ય દેશમાં જવા માટે પાસપોર્ટ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આ તે વસ્તુ છે જેના દ્વારા તમે વિશ્વભરમાં પ્રવાસ કરી શકો છો. દેશનો કોઈપણ મોટો વીઆઈપી હોય, તેણે વિદેશમાં ફરવા માટે પાસપોર્ટ પણ રાખવો પડે છે. એટલું જ નહીં, મોટાથી લઈને નાના સુધીની સેલિબ્રિટીઝ પણ પાસપોર્ટ દ્વારા અન્ય દેશોમાં એન્ટ્રી મેળવે છે.

પરંતુ શું તમે જાણો છો, દુનિયામાં 3 લોકો એવા છે જે પાસપોર્ટ વગર કોઈપણ દેશમાં જઈ શકે છે. તમે બરાબર વાંચ્યું છે, આ ત્રણ લોકો પાસપોર્ટ વગર કોઈપણ દેશમાં જઈ શકે છે. આ સાંભળ્યા પછી તમારા મનમાં ઘણા સવાલો આવી રહ્યા હશે, જેમ કે જો તે આ પાસપોર્ટ સાથે મુસાફરી નથી કરતો તો તેની પાસે કયો પાસપોર્ટ છે? કે પછી તેમને કોઈપણ દેશમાં જવા માટે પાસપોર્ટની બિલકુલ જરૂર નથી? તો ચાલો આ અહેવાલ દ્વારા તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીએ.

પાસપોર્ટ સિસ્ટમને 1924માં શરુ કરવામાં આવી હતી

સૌથી પહેલા જાણીએ પાસપોર્ટની શરુઆત ક્યારે કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 20મી સદીમાં જરૂર અનુભવવામાં આવી હતી કે જો દેશો વચ્ચે પાસપોર્ટ સિસ્ટમ શરૂ નહીં કરવામાં આવે તો તે દેશની સુરક્ષાને જોખમમાં મૂકશે. કારણ કે, તમે કોઈપણ માહિતી આપ્યા વિના કોઈપણ દેશમાં પ્રવેશ ન લઈ શકો, તે તે દેશ માટે જોખમ છે. આ કારણોસર, વર્ષ 1920માં લીગ ઓફ નેશન્સ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અમેરિકાએ પહેલ કરી અને વર્ષ 1924 માં પાસપોર્ટ સિસ્ટમ જાહેર કરી.

ત્રણ લોકો કોણ છે જેમને પાસપોર્ટની મંજૂરી નથી

હવે આપણે વાત કરીએ દુનિયાના એ ત્રણ લોકો વિશે જે પાસપોર્ટ વગર કોઈ પણ દેશમાં પ્રવાસ કરી શકે છે. બ્રિટેનના કિંગ ચાર્લ્સ અને જાપાનના રાજા-રાણીને આ ખાસ અધિકાર આપવામાં આવ્યો છે. જાપાનના જે રાજા અને રાણીને આ હક મળ્યા છે. તે નારુહિતો અને તેની પત્ની મસાકો છે.

પહેલા રાણી એલિઝાબેથને આ અધિકાર મળ્યો હતો

ચાર્લ્સ પહેલા રાણી એલિઝાબેથની પાસે આ અધિકાર હતો, જ્યાં સુધી રાણી હતી ત્યાં સુધી તેઓ કોઈ પણ પાસપોર્ટ વગર વિદેશમાં ફરી શકતા હતા. તેમને કોઈ પણ પ્રકારનો પાસપોર્ટ આપવામાં આવ્યો ન હતો. પરંતુ તેના સગા સંબંધીઓની પાસે જિપ્લોમેટિક પાસપોર્ટ હતો. આવી રીતે હવે ચાર્લ્સ કિંગ બન્યા છે તે આ અધિકાર તેમને મળી ચૂક્યા છે. તેના પરિવારને વિદેશ જવા માટે પાસપોર્ટની જરુર પડતી નથી.

જાપાનના રાજા-રાણીને કેમ અધિકાર આપવામાં આવ્યા

જાપાનના રેકોર્ડ અનુસાર વર્ષ 1971માં જાપાને આ સમ્રાટ અને તેની પત્ની માટે ખાસ વ્યવસ્થા શરુ કરી હતી. જ્યારે પણ દેશનો સમ્રાટ અને તેની પત્ની વિદેશ યાત્રા માટે જતા હતા. તો તેમણે પાસપોર્ટની જરુરત પડતી નથી.વર્ષ 2019 માં અકિહિતોના તેમના પદ પરથી નિવૃત્ત થયા પછી, જાપાને પણ આ સિસ્ટમમાં ઘણા ફેરફારો કર્યા.

આ લોકોના પાસપોર્ટ ક્યા હોય છે

કોઈ પણ દેશના મહત્વના લોકોની પાસે પાસપોર્ટ જરુર હોય છે પરંતુ તેની પાસે ડિપ્લોમેટ પાસપોર્ટ હોય છે. આ પાસપોર્ટ કોઈ પણ દેશમાં વ્યક્તિને એક ખાસ હોદ્દો આપે છે અને એરપોર્ટ પર તેના માટે એક અલગ ફેસિલિટી પણ આપે છે. ડિપ્લોમેટ પાસપોર્ટ દેશના અમુક લોકોની પાસે જ છે. જેમાં તેના માટે એક અલગ પ્રોટોકોલ ફોલો હોય છે. બ્રિટેનના કિંગ સિવાય કેટલાક લોકો પાસે આ પાસપોર્ટ છે. ભારતમાં કેટલાક બંધારણીય પદો પર બેઠેલી હસ્તીઓ પાસે આ પાસપોર્ટ છે. જેમાં તેમને પ્રોટોકોલ દ્વારા મુસાફરી કરવાની હોય છે.


Spread the love

Related posts

ભાવનગર ખાતે પધારેલા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates

ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી થશે, રાજ્ય સરકાર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરશે

Team News Updates

ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી 4 ફેક્ટરી પર ગઈકાલે મહેસાણા અને ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. 

Team News Updates