News Updates
NATIONAL

યમુનાનું રોદ્ર સ્વરુપ, દિલ્હી જળબંબાકાર:દિલ્હીમાં 23 હજાર લોકોનું રેસ્ક્યુ; સુપ્રીમ કોર્ટ પાસે પાણી ભરાયા, રાજઘાટ પાણીમાં ગરકાવ

Spread the love

દિલ્હીમાં 4 દિવસથી યમુના નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. શુક્રવારે સવારે યમુના નદીનું જળસ્તર 208.48 મીટરે પહોંચી ગયું છે. આ ભયજનક નિશાન 205 મીટર કરતા 3.4 મીટર વધુ છે.

દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની બહારનો રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે. પૂરનું પાણી યમુના બજાર, લાલ કિલ્લો, રાજઘાટ અને ISBT-કાશ્મીરી ગેટ સુધી પહોંચી ગયું છે. અહીં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું.

આ સિવાય મજનુ કા ટીલા, નિગમ બોધ ઘાટ, મઠ માર્કેટ, વજીરાબાદ, ગીતા કોલોની અને શાહદરા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.

લોકોની મદદ માટે NDRFની 16 ટીમો તહેનાત કરવામાં આવી છે. 2,700 રાહત શિબિરો લગાવવામાં આવ્યા છે. ગુરુવારે યમુનાની આસપાસથી 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.

આ દરમિયાન PM મોદીએ દિલ્હીમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ફ્રાન્સથી અમિત શાહને ફોન કર્યો હતો. શાહે PMને કહ્યું, આગામી 24 કલાકમાં યમુનાનું જળસ્તર ઘટી શકે છે.

દિલ્હીમાં પૂર સંબંધિત અપડેટ્સ.

  • NDRFના DIG મોહસીન શાહિદીએ જણાવ્યું કે દિલ્હીમાં પૂરથી 6 જિલ્લા અસરગ્રસ્ત છે. શુક્રવાર સુધીમાં પરિસ્થિતિ સુધરો થવાની આશા છે.
  • પૂરના કારણે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા પડ્યા, જેના કારણે દિલ્હીને આગામી એક-બે દિવસ સુધી 25% ઓછું પાણી મળશે.
  • ગુરુવારે દિલ્હીમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના રેગ્યુલેટર ખરાબ થઈ ગયા હતા.
  • રાજધાનીની તમામ શાળાઓ અને કોલેજો રવિવાર સુધી બંધ રહેશે. સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું છે.
  • ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે રૂટ બદલી નાખ્યા છે.

દિલ્હીમાં મેઘતાંડવ, અનેક વિસ્તાર થયા જળમગ્ન યમુના ખતરાના નિશાનથી ઉપર, 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ, પીવાના પાણીની કટોકટી; NDRFની 16 ટીમો તહેનાત

હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે. ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર 208.66 મીટરે પહોંચી ગયું હતું. આ ખતરાના નિશાન 205 મીટરથી 3 મીટર વધુ છે. હાલ આ સ્તર સ્થિર રહ્યું છે.

યમુના દિલ્હીના વજીરાબાદથી ઓખલા સુધી 22 કિમીના અંતરે છે. તેના કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાય છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 16,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

લોકોની મદદ માટે NDRFની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્તોની મદદ માટે 2,700 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે.

સિંઘુ બોર્ડર, બદરપુર બોર્ડર, લોની બોર્ડર અને ચિલ્લા બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ભારે વાહનોને આવતા અટકાવવામાં આવ્યા છે. માત્ર નાના વાહનોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.

વજીરાબાદ, ઓખલા અને ચંદ્રવાલના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે. બીજી તરફ મુખ્યમંત્રી આવાસના 500 મીટર સુધી પાણી ભરાઈ ગયા છે. યમુના બજાર, મજનુ કા ટીલા, નિગમ બોધ ઘાટ, મઠ બજાર, વજીરાબાદ, ગીતા કોલોની અને શાહદરા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો છે.

યમુનામાં પાણી ક્યાંથી આવે છે?
યમુના પર બે બેરેજ છે. એક દેહરાદૂનના ડાકપથર ખાતે અને બીજું દિલ્હીના અપસ્ટ્રીમ યમુનાનગરના હથનીકુંડ ખાતે. અહીં કોઈ ડેમ નથી. જ્યારે પણ હિમાચલ, હરિયાણામાં ભારે વરસાદ થાય છે ત્યારે યમુનાનું જળસ્તર વધી જાય છે. તેની અસર દિલ્હીમાં જોવા મળી રહી છે.

આ જ કારણ હતું કે રવિવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં યમુનાનું જળસ્તર 203 મીટર હતું, જે ગુરુવારે વધીને 208.53 મીટર થયું હતું.

બીજી તરફ હરિયાણાના 13 જિલ્લામાં પણ યમુનાનું પાણી ઘૂસી ગયું છે. 240 ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. યમુનાનું પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે આજે પાંચ જિલ્લા- જીંદ, ફતેહાબાદ, ફરીદાબાદ, પલવલ અને સિરસામાં પૂરનો ખતરો વધી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે.


Spread the love

Related posts

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Team News Updates

ચૂંટણી પહેલા ભાજપને પડી શકે છે મોટો ફટકો, યશોધરા રાજે સિંધિયાએ કરી આ મોટી જાહેરાત

Team News Updates

કેજરીવાલને EDનું સાતમું સમન્સ:26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા; દિલ્હીના CM અત્યાર સુધી એક વખત પણ હાજર થયા નથી

Team News Updates