News Updates
BUSINESS

આ દંપતીએ તિરૂપતિ બાલાજી મંદિરમાં કર્યુ 1.25 કરોડ રૂપિયાના 2 કિલો સોનાનું દાન

Spread the love

મૂર્તિ દંપતી દ્વારા દાનમાં આપવામાં આવેલ ‘અભિષેક શંખમ’ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે એક બાજુથી ખુલ્લું છે. આ ઉપરાંત ‘કુર્મમ’ એટલે કે કાચબો પણ દાનમાં આપવામાં આવ્યો છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના ‘અભિષેક’માં થાય છે.

દેશની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસના (Infosys) સ્થાપક એન. નારાયણ મૂર્તિ (Narayana Murthy) અને તેમની પત્ની સુધા મૂર્તિ (Sudha Murthy) રવિવારે તિરુપતિ બાલાજીના મંદિરે પહોંચ્યા હતા. મૂર્તિ દંપતીએ અહીં સોનાથી બનેલા ‘અભિષેક શંખમ’ અને ‘કુર્મમ’ (કાચબો)નું દાન કર્યું હતું. બંનેનું વજન લગભગ 2 કિલો છે. જાણો આ દાન શા માટે ખાસ છે અને તેનું શું મહત્વ છે?

નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય E.O. ધર્મા રેડ્ડીને દાનમાં આપેલ ‘અભિષેક શંખમ’ અને ‘કુર્મમ’ સોંપ્યું. આ ખાસ પ્રસંગે બંને મંદિરના રંગનાયકુલા મંડપમાં ગયા હતા. સુધા મૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે.

‘શંખમ’ અને ‘કુર્મમ’ કેવા દેખાય છે?

મૂર્તિ દંપતી દ્વારા દાનમાં આપવામાં આવેલ ‘અભિષેક શંખમ’ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે એક બાજુથી ખુલ્લું છે. આ ઉપરાંત ‘કુર્મમ’ એટલે કે કાચબો પણ દાનમાં આપવામાં આવ્યો છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના ‘અભિષેક’માં થાય છે. કુર્મમમાં પીઠનો ભાગ ખાલી છે જે શંખમ મૂકીને ભરાય છે. મૂર્તિ દંપતીના આ દાનને ‘ભૂરી’ દાન પણ કહેવાય છે.

કિંમત 1.25 કરોડની આસપાસ છે?

બજાર કિંમત પ્રમાણે ‘શંખમ’ અને ‘કુર્મમ’ની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. હાલમાં બજારમાં સોનાની સરેરાશ કિંમત 61,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. તે મુજબ 2 કિલો સોનાની કિંમત અંદાજે 1.25 કરોડ રૂપિયા છે.

જૂની પરંપરા અને દાનનું મહત્વ

તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાચીન સમયથી રાજાઓ અને સમ્રાટો સોનું, રોકડ અને જમીનનું દાન કરતા આવ્યા છે. હાલમાં પણ લોકો આ મંદિરમાં સોનું, રત્ન અને ઝવેરાત વગેરેનું દાન કરે છે. આ સિવાય મોટા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ મંદિર સુધી પહોંચે છે. એવું માનવામાં આવે છે કે આવા દાનથી ભગવાન વેંકટેશ તેમની સમસ્યાઓ દૂર કરે છે.


Spread the love

Related posts

ગુજરાતીએ કાઢ્યું કાઠું, અદાણીએ તમામ અબજોપતિઓને છોડ્યા પાછળ, મસ્કથી બફેટ સુધી ચાલી રહી છે અનોખી રેસ

Team News Updates

ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ

Team News Updates

ભારતનું બિઝનેસ કલ્ચર કેવી રીતે બદલાઈ રહ્યું છે? જણાવશે શાર્ક ગઝલ અલઘ અને વિનીતા સિંહ

Team News Updates