News Updates
ENTERTAINMENT

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:નીતિન દેસાઈનું મોત ગળેફાંસો ખાવાથી થયું; પરિવારે કહ્યું, અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ થશે

Spread the love

બોલિવૂડના આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનું ગળેફાંસો ખાવાથી મૃત્યુ થયું છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. બુધવારે 4 ડોક્ટરોની ટીમ દ્વારા નીતિન દેસાઈનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રાયગઢ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં મોતનું કારણ ફાંસો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અગાઉ ખાલાપુર પોલીસ નીતિન દેસાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં લાવી હતી. તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કર્જત ખાતેના તેના સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પરિવારે કહ્યું- અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં થશે
રાયગઢના એસપી સોમનાથ ખરગેએ બુધવારે રાત્રે માહિતી આપી હતી કે નીતિન દેસાઈના પરિવારના જણાવ્યા અનુસાર, તેમના અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટુડિયોમાંથી મળી આવેલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે તેના કેરટેકર અને ડ્રાઈવરનું પણ નિવેદન લીધું છે.

પોલીસે કહ્યું- સવારે 9 વાગ્યે મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો
પોલીસનું કહેવું છે કે નીતિન દેસાઈનો મૃતદેહ સવારે 9 વાગ્યે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડોગ સ્ક્વોર્ડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે તેઓ દરેક એંગલથી કેસની તપાસ કરી રહ્યા છે.

પોલીસને નીતિનના મોબાઈલમાંથી એક ઓડિયો ક્લિપ મળી છે, જેમાં 4 લોકોનો ઉલ્લેખ છે. પોલીસને શંકા છે કે નીતિન દેસાઈએ તેમના દબાણમાં આત્મહત્યા કરી છે. ટૂંક સમયમાં તેમનું નિવેદન નોંધવામાં આવશે.

રાત્રે 10 વાગ્યે રૂમમાં ગયા, સવારે દરવાજો ન ખૂલ્યો
નીતિન 58 વર્ષના હતા. તેઓ પોતાનો મોટાભાગનો સમય તેમના એનડી સ્ટુડિયોમાં વિતાવતા હતા. પોલીસ જણાવ્યું કે, દેસાઈ મંગળવારે રાત્રે 10 વાગ્યે તેમના રૂમમાં ગયા હતા. સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યા ન હતા.

તેમના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો. બારીમાંથી જોયું તો દેસાઈનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતા હોવા મળ્યા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોનાં નિવેદનો નોંધ્યાં છે. 

નીતિન દેસાઈ પર 250 કરોડનું દેવું હતું, સ્ટુડિયો બંધ થઈ શક્યો હોત
વ્યાજ સહિત, નીતિન દેસાઈ પરની લોનની રકમ રૂ. 250 કરોડ સુધી પહોંચી ગઈ હતી. કંપનીએ રિકવરી માટે કાયદેસરના પગલાં લીધાં હતાં. કંપનીએ ત્યાંના જિલ્લા મેજિસ્ટ્રેટને સ્ટુડિયો જપ્ત કરવાની દરખાસ્ત પણ કરી હતી. એનડી સ્ટુડિયોને સીલ કરવામાં આવે તેવી પણ શક્યતા હતી. બીજી તરફ પોલીસને નીતિનના ફોનમાંથી એક ઓડિયો ક્લિપ મળી છે


Spread the love

Related posts

કાર્તિક આર્યને રિમેક અંગે લીધો મહત્ત્વનો નિર્ણય:’શહજાદા’ની ફ્લોપ અંગે વાત કરતા જણાવ્યું, ‘એક ને એક વાર્તા જોવા લોકો થિયેટરમાં કેમ પૈસા ખર્ચશે?’

Team News Updates

લાઈવ કેમેરા સામે આત્મહત્યાનો પ્રયાસ:કપિલ શર્મા શોના જુનિયર ‘નાના પાટેકરે’ ફિનાઈલ પીધું, આત્મહત્યા જેવું પગલું ભરવા માટે લિવ-ઇન પાર્ટનરને જવાબદાર ઠેરવી

Team News Updates

IND vs BAN:45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 189 રન બનાવ્યા,  યશસ્વી જયસ્વાલે શ્રેણીમાં સૌથી વધુ

Team News Updates