News Updates
ENTERTAINMENT

‘તારક મહેતા’ સિરિયલનાં 15 વર્ષ:આખરે પ્રોડ્યુસર અસિત મોદીએ જૂના કલાકારોની માફી માગી, કહ્યું, ‘મિચ્છામી દુક્કડમ્’, ‘દયાભાભી’ને પાછાં લાવવાની પણ ખાતરી આપી

Spread the love

છેલ્લા ઘણા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયાભાભીના પરત ફરવા અંગે અટકળો લગાવવામાં આવતી રહી છે. થોડા દિવસ પહેલાં શોને 15 વર્ષ પુરા થવા પર અસિત મોદીએ કહ્યું હતું કે દયા ભાભી પરત ફરશે. અસિત મોદીએ હાલમાં જ એક વીડિયોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીને બને તેટલી વહેલી તકે શોમાં પાછા લાવવાની વાત કરી હતી. આ સાથે જ શોની જૂની કાસ્ટ અને ક્રૂની માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે, ‘અમારા જૈન ધર્મમાં કહે છે તેમ મિચ્છામી દુક્કડમ.’ જો તેમણે જાણતા-અજાણતા કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો તેઓ તેમના માટે માફી માગે છે.

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં રહે છે. ઘણા જૂના કલાકારોએ શોના નિર્માતા અસિત મોદી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જો કે, આ દરમિયાન શોના કલાકારોએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં 15 વર્ષની ઉજવણી કરી. આ સ્થિતિમાં અસિત કુમાર મોદીએ તેમના ફેન્સ માટે એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ દરમિયાન તેમણે શો સાથેની તેમની લાંબી મુસાફરી વિશે વાત કરી, આ સાથે જ તેમણે જણાવ્યું કે રસ્તામાં કેટલાય સ્પીડ બ્રેકરનો સામનો કર્યો છે. આમ છતાં શોની કાસ્ટ અને ક્રૂએ સાથે મળીને કામ કર્યું અને ખુબ જ સરસ રહ્યું છે.

કલાકારોને અજાણતા દુ:ખ પહોંચાડવા બદલ માફી માગી
શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ ભૂતકાળમાં નિર્માતા અસિત મોદી, પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતિન બજાજ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જોકે, અસિતે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. અસિતે કહ્યું કે તેમણે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. જો ભૂલથી તેણે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો તે તેની માફી માગવા માગે છે.

‘અમે ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી’ : અસિત મોદી
વીડિયોમાં નિર્માતાએ સૌ પ્રથમ નિધન પામેલા તમામ કલાકારો અને ક્રૂ સભ્યોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, ‘તેઓ ક્યારેય પાછા નહીં આવે, પરંતુ ઘણા લોકો એવા છે જેમણે પોતાના દમ પર શોમાંથી બહાર જવાનું નક્કી કર્યું છે. જે કલાકારો આજે શોથી દૂર છે, હું તેમનો પણ શોમાં યોગદાન આપવા બદલ આભાર માનું છું. અસિતે વધુમાં કહ્યું, ‘હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી કે ખોટું કહ્યું નથી. પરંતુ જો અમારા કારણે કોઈને દુઃખ થયું હોય તો હું તેમની માફી માગું છું. આપણા જૈન સમુદાયમાં તેને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો મેં અજાણતામાં તેમને દુઃખ પહોંચાડ્યું હોય તો પણ હું તેમની માફી માગવા માંગુ છું.

અસિતે કહ્યું કે, છેલ્લાં 15 વર્ષમાં એવા ઘણા સમાચાર આવ્યા છે, જેનાથી ઈમેજને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય. આમ છતાં તેમણે હકારાત્મકતા રાખવાનોપ્રયાસ કર્યો છે.

અમે ટૂંક સમયમાં દયાબેનને પાછા લાવીશું : અસિત મોદી
વીડિયોમાં અસિતે આટલા લાંબા સમય સુધી તેમની સાથે રહેવા બદલ તેમના ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે એવું પણ વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં જ દયાબેનને શોમાં પરત લાવશે. આ શોમાં તેમના યોગદાન માટે દિશા વાકાણીનો આભાર માનતા અસિતે કહ્યું, ’15 વર્ષની આ સફરમાં એક પાત્ર એવું છે જે હંમેશા દર્શકોની સાથે રહ્યું છે. તે પાત્ર એટલે દયાબેન, જે દિશા વાકાણીએ ભજવ્યું હતું. અમને દિશા માટે માત્ર પ્રેમ અને આદર છે. હું દર્શકોને વચન પણ આપું છું કે અમે ટૂંક સમયમાં જ દયાબેનને શો પર પાછાં લાવીશું.

દિશા 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી
દિશા વાકાણીએ 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જેના કારણે તેણે શો છોડી દીધો હતો. જો કે, તેણીએ શોમાં પરત ફરવાનું બાકી છે. જોકે, અસિતે કહ્યું કે દિશા સતત મેકર્સ સાથે સંપર્કમાં છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અસિતે કહ્યું હતું કે હું પણ ઈચ્છું છું કે દિશા જલ્દી શોમાં પાછી આવે. હું ઈચ્છું છું કે તે દયા તરીકે પાછી આવે અને મને આશા છે કે તે આવું કરશે. હું આભારી છું કે તેઓ શોમાં ન હોવા છતાં દર્શકોએ તેમના પર આટલો પ્રેમ વરસાવ્યો છે.


Spread the love

Related posts

ભોજપુરીના શાહરૂખ-સલમાન હતા મનોજ અને રવિ કિશન:એકબીજાથી આગળ જવાની સ્પર્ધા હતી, મનોજે કહ્યું, ‘રવિ મારા હાથનો માર ખાવા માંગતો ન હતો’

Team News Updates

રાજકોટ ટેસ્ટમાં બેન સ્ટોક્સ રચશે ઈતિહાસ, સચિન-પોન્ટિગની ખાસ લિસ્ટમાં થશે સામેલ

Team News Updates

‘ધ કેરલ સ્ટોરી’ પછી અદા શર્માની આગામી ફિલ્મ, એક દમદાર પોલીસની ભૂમિકામાં જોવા મળશે

Team News Updates