આજરોજ દ્રારકા જીલ્લા આમ આદમી પાટીઁ દ્રારા દેશભરમા સ્ત્રી પર વધતા જતા અત્યાચાર ને લઇ 31ઓકટોબર ને બળાત્કાર વિરોધી દિન તરીકે મનાવવામા આવશે ત્યારે આજના દીવસે આમ આદમી પાટીઁ દ્રારા જોધપર ગેઇટ ગાંધીજી ની પ્રતિમા ને ફુલહાર ચડાવી મૌન રેલી શાંત દેખાવો કરી ને આ રેલી મીલન ચાર રસ્તા પર આવેલ ડો,ભીમરાવ આંબેડકર સાહેબ ના સ્ટેચયુ ને ફુલ હાર પહેરાવી ત્યાથી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ શ્રી,જડેશ્ર્વર મહાદેવ ના મંદીરે જઇ ભગવાન શિવજી ને આવેદન પત્ર આપવામા આવશે હે ભગવાન શીવજી સરકાર તો સાંભળતી એટલે ભગવાન શિવજી ને પ્રાથના કરી ને ફરીયાદ કરવામા આવશે કે હે ભગવાન શિવજી ત્રીજુ નેત્ર ખોલો અને આ અત્યાચારી તેમજ બળાત્કારી ઓને ભસ્મ કરો તેવી આમઆદમી દ્રારા સામુહિક પ્રાથના કરી ને ફરીયાદ કરવામા આવશે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર