News Updates
SAURASHTRA

ગરીબ બાળકોના અક્ષર જ્ઞાન માટે સુરતમાં શરુ કરાઇ હરતી ફરતી બસ, એક સાથે 32 બાળકો બેસીને ભણી શકશે

Spread the love

સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે.

તમે ફરતી હોટલ જોઈ હશે, ફરતી હોસ્પિટલ પણ જોઈ હશે. પણ શું તમે ફરતી શાળા જોઈ છે ? જો ના જોઈ હોય અને જોવી હોય તો તમારે સુરત (Surat) જવું પડશે. જ્યાં અનોખી શાળા હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. આ હરતી ફરતી શાળા બસમાં હશે. વર્ગખંડમાં હોય તેવી જ સુવિધાઓ આ હરતી ફરતી શાળામાં શરૂ કરવામાં આવી છે. સુરતમાં ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે આ શાળા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીમાં સેવા કરવા નહોતા જઈ શક્યા. તેથી તેમણે આ પ્રકારે સેવા કરવાની નેમ લીધી અને એક બસમાં હરતી ફરતી શરૂ કરી છે.

આ બસમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવશે. આ બસ 8 લાખથી વધુની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે.


Spread the love

Related posts

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Team News Updates

JUNAGADH: પોલીસનો સન્માનનો અભિગમ કર્મચારીઓને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડશે…

Team News Updates

મુંબઇ-દિલ્હીની ફલાઇટ ફળી:રાજકોટ એરપોર્ટમાં એપ્રિલમાં 65 હજારથી વધુ મુસાફરો નોંધાયા, કુલ 513 ફલાઇટોએ ઉડાન ભરી

Team News Updates