News Updates
SAURASHTRA

ગરીબ બાળકોના અક્ષર જ્ઞાન માટે સુરતમાં શરુ કરાઇ હરતી ફરતી બસ, એક સાથે 32 બાળકો બેસીને ભણી શકશે

Spread the love

સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે.

તમે ફરતી હોટલ જોઈ હશે, ફરતી હોસ્પિટલ પણ જોઈ હશે. પણ શું તમે ફરતી શાળા જોઈ છે ? જો ના જોઈ હોય અને જોવી હોય તો તમારે સુરત (Surat) જવું પડશે. જ્યાં અનોખી શાળા હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. આ હરતી ફરતી શાળા બસમાં હશે. વર્ગખંડમાં હોય તેવી જ સુવિધાઓ આ હરતી ફરતી શાળામાં શરૂ કરવામાં આવી છે. સુરતમાં ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે આ શાળા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીમાં સેવા કરવા નહોતા જઈ શક્યા. તેથી તેમણે આ પ્રકારે સેવા કરવાની નેમ લીધી અને એક બસમાં હરતી ફરતી શરૂ કરી છે.

આ બસમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવશે. આ બસ 8 લાખથી વધુની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે.


Spread the love

Related posts

સરકારને તલાટીની પરીક્ષાનો પડકાર:ઉમેદવારોની અંગજડતી લીધા પછી જ પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી, હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન સિવાયની વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ

Team News Updates

સુરતમાં 24 કલાકમાં આપઘાતના 4 બનાવ:ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળેલા કાપડ દલાલે રસ્તામાં એસિડ ગટગટાવ્યું, મહિલાએ બીજા માળેથી ઝંપલાવ્યું તો બેએ ગળેફાંસો ખાધો

Team News Updates

‘સની પાજી દા ઢાબા’ ફરી વિવાદમાં:રાજકોટ ફૂડ વિભાગના દરોડામાં 10 કિલો વાસી પનીર અને 7 કિલો પ્રિપેડ ફૂડ મળ્યું, ઠેર-ઠેર ગંદકીના ગંજ

Team News Updates