આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર ડોડીયાળા ના વેરાવળ સતાપર ગામે ભાદર નદીમાં પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ જતાં ચતુર ગોરધનભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૫ ગઈકાલે ભાદર નદી કાંઠે ચાલીને જતા હતા ત્યારે પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ ગયા હતા જેમની શોધખોળ ગામના તરવૈયાઓ દ્વારા કરવામાં આવી પણ તેમના મૃતદેહ મળ્યો હતો ઘટનાસ્થળે 108 દોડી ગય હતી તથા આટકોટ પોલીસજમાદાર પુનાભાઈ તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ગામલોકો સેવાભાવી લોકો દોડી આવ્યા હતા ચતુરને ત્રણ વર્ષનો એ ક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે નાના એવા સતાપર માં શોક લાગણી વ્યાપી ગઇ હતી તેમના મૃતદેહ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
અહેવાલ- કરશન બામટા ,આટકોટ