News Updates
GIR-SOMNATHGUJARAT

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Spread the love

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ભાવનગર રેલ્વે મંડળ થઇને દોડતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક સ્લીપર કોચને એક થર્ડ એસી ઈકોનોમી કોચ સાથે બદલવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, જબલપુરથી વેરાવળ સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11464 (જબલપુર-સોમનાથ એક્સપ્રેસ)માં 18 ઓકટોબર ,2023 થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે.જ્યારે વેરાવળથી જબલપુર સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11463 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ)માં 20 ઓકટોબર, 2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.

ઉપરાંત વેરાવળથી જબલપુર સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11465 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ)માં 21 ઓકટોબર,2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.જ્યારે જબલપુરથી વેરાવળ સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11466 (જબલપુર-સોમનાથ એક્સપ્રેસ)માં 23 ઓકટોબર, 2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં લાગી આગ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની આંખમાં બળતરા

Team News Updates

વજન ઘટાડવા માટે ઉનાળામાં આ 7 ફળ ખાવાનું કરો શરૂ, ઓગળવા લાગશે પેટની ચરબી, ઝડપથી થઈ જશો પાતળા

Team News Updates

Gir Somnath Rain:કાર ધોવા ગયો હતો યુવક ચેક ડેમ પર ,કાર સાથે તણાયો 

Team News Updates