News Updates
GUJARAT

કેટલા દિવસમાં ઈનએક્ટિવ સિમ નંબર બીજાને આપી દેવામાં આવે છે? જાણો કંપની કેટલો આપે છે સમય

Spread the love

નિયમ મુજબ બંધ નંબર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ, હર કોઈ એવુ નહીં ઈચ્છે કે તેમનો નંબર જતો રહે. કારણ કે, ક્યારેક આ નંબર ખાસ હોય છે, તો ક્યારેક તેની સાથે ઘણી મહત્વપૂર્ણ સેવાઓ જોડાયેલ હોય છે.

આજકાલ મોટાભાગના લોકો બે સિમનો ઉપયોગ કરે છે. આમાંથી સિમકાર્ડ પરિવાર માટે હોય છે અને બીજુ સીમ બિઝનેસ માટે રાખતા હોય છે. ઘણી વખત આના કરતા વધુ સિમ યુઝ કરવા અથવા બીજુ સિમ માત્ર ઈમરજન્સી તરીકે જ રાખતા હોય છે . જે લોકો બીજું સિમ માત્ર ઈમરજન્સી સમય માટે રાખે છે. તેઓ તેને લાંબા સમય સુધી રિચાર્જ કરવાનું ભૂલી જાય છે.

નિયમ મુજબ બંધ નંબર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ, હર કોઈ એવુ નહીં ઈચ્છે કે તેમનો નંબર જતો રહે. કારણ કે, ક્યારેક આ નંબર ખાસ હોય છે, તો ક્યારેક તેની સાથે ઘણી મહત્વપૂર્ણ સેવાઓ જોડાયેલ હોય છે.

આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો સિમ બંધ રહે અને રિચાર્જ ન થાય તો કંપનીઓ કેટલા દિવસ સુધીમાં આ નંબર બીજા કોઈને આપી દે છે. આવો જાણીએ આનો સાચો જવાબ.

સિમ ટ્રાન્સફર કરતા પહેલા કંપનીઓ ઘણી મહત્વની બાબતો કરે છે. સૌ પ્રથમ, જ્યારે તમે સિમમાં 60 દિવસ સુધી કોઈ રિચાર્જ નહીં કરો. પછી સિમ નિષ્ક્રિય કરવામાં આવે છે. આ પછી 6 થી 9 મહિનાનો સમય આપવામાં આવે છે. જેથી કરીને તમે નંબર રિચાર્જ કરો અને તેને ફરીથી એક્ટિવેટ કરો.

જો તમે રિચાર્જ કર્યા પછી પણ સિમનો ઉપયોગ નથી કરતા, તો કંપની ઘણી ચેતવણીઓ આપે છે. જો તમે તેમ છતા પણ રિચાર્જ નથી કરતા તો કંપની આખરે સિમ સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. પછી થોડા મહિનામાં આ સિમ નંબર બીજા યુઝરને ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગે છે. એટલે કે એક વ્યક્તિથી બીજામાં સિમ ટ્રાન્સફર કરવામાં આખું વર્ષ લાગે છે. 


Spread the love

Related posts

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી આગામી ત્રણ કલાકમાં

Team News Updates

દરિયો ન ખેડવા સૂચના માછીમારોને: વલસાડ જિલ્લાના માછીમારોને એલર્ટ કરાયા,2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી,અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા 

Team News Updates

Chaitra Navratri 2024:મા શૈલપુત્રીની પૂજા વિધિ,શુભ સમય અને મંત્ર, ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ

Team News Updates