News Updates
AHMEDABAD

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

Spread the love

વરસાદના પગલે સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના (Vasana barrage) 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાંથી 22,662 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. જેના કરાણે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. સાબરમતીનું જળસ્તર 128 ફૂટને પાર પહોંચ્યું છે. રિવરફ્રન્ટ પરના વોક વેને અસર નહીં થવાનો તંત્રનો દાવો છે. તો રિવરફ્રન્ટ પર ક્રૂઝ સહિતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં કાયાકિંગની બોટને બહાર કાઢી લેવાઇ છે.


Spread the love

Related posts

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ:મુખ્ય આરોપી સની ચૌધરી, અમિતસિંહની ધરપકડ, નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી એક પેપરદીઠ 50 હજાર લેતા, 60 વિદ્યાર્થીને પાસ કરાવ્યા

Team News Updates

ત્યજી દેવાયેલું બાળક હવે અમેરિકાની ગલીઓમાં ઘૂમશે:પાલડી બાલભવનમાંથી NRI દંપતીએ 6 વર્ષનું બાળક દત્તક લીધું, આજે અમદાવાદના નિવાસ્થાને પૂજા કરી રૂદ્રનો ગૃહપ્રવેશ કરાવ્યો

Team News Updates

CID ક્રાઈમના દરોડા,  14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે મળ્યા ગ્રાહક, દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં

Team News Updates