News Updates
AHMEDABAD

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

Spread the love

વરસાદના પગલે સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના (Vasana barrage) 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાંથી 22,662 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. જેના કરાણે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. સાબરમતીનું જળસ્તર 128 ફૂટને પાર પહોંચ્યું છે. રિવરફ્રન્ટ પરના વોક વેને અસર નહીં થવાનો તંત્રનો દાવો છે. તો રિવરફ્રન્ટ પર ક્રૂઝ સહિતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં કાયાકિંગની બોટને બહાર કાઢી લેવાઇ છે.


Spread the love

Related posts

1419 કરોડનું પેકેજ જાહેર રાજ્ય સરકારનું ખેડૂતો માટે :અંદાજે 7 લાખ ખેડૂતને મળશે લાભ 20 જિલ્લાના,8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય

Team News Updates

અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો:20 કરોડના ખર્ચે કમળની થીમ પર લોટસ ગાર્ડન બનશે, ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવ્યા

Team News Updates

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ:મુખ્ય આરોપી સની ચૌધરી, અમિતસિંહની ધરપકડ, નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી એક પેપરદીઠ 50 હજાર લેતા, 60 વિદ્યાર્થીને પાસ કરાવ્યા

Team News Updates