News Updates
SURAT

Suratના 157 લોકોને Vietnamમાં બંધક બનાવાયા, 1 કરોડની વસુલાત માટે ટૂર ઓપરેટરનું કારસ્તાન

Spread the love

સુરતથી વિદેશયાત્રા(foreign trip)એ નીકળેલા લોકોને પરદેશમાં બંધક(hostage) બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે 157 લોકોને વિયેતનામ(Vietnam)માં બનાવ્યા હતા. 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા.

સુરતથી વિદેશયાત્રા(foreign trip)એ નીકળેલા લોકોને પરદેશમાં બંધક(hostage) બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે 157 લોકોને વિયેતનામ(Vietnam)માં બનાવ્યા હતા. 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા. જોકે બાદમાં ગુજરાતના કેટલાક મધ્યસ્થીઓએ મામલો હલ કરાવી તમામને મુક્ત કરાવ્યા છે.

વિદેશ પ્રવાસ દરમિયાન ઘટના બની

સુરતના 157 લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા હતા. સૂત્રો અનુસાર ટૂર ઓપરેટર દ્વારા ટૂર પ્લાનિંગની બાકી રકમની વસુલાત માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. વિદેશી ધરતી ઉપર આ પ્રકારની ઘટના બનતા ભારતીય પ્રવાસીઓ ભયભીત બન્યા હતા.

ભારતીય દૂતાવાસ દ્વારા મુક્ત કરાવાયા

ભારતીયોને વિયેતનામમાં બંધક બનાવાયા હોવાની ઘટનાની જાણ સુરત સ્થિત પરિવારજનોને કરવામાં આવતા સ્વજનો ચિંતિત બન્યા હતા. આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન ઉપર લાવવામાં આવી હતી. આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓની મધ્યસ્થીથી 10 કલાક બાદ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. 10 કલાક સુધી બંધક બનાવી રાખવાના કારણે પ્રવસીઓમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આખરે ભારત સરકારના પ્રયાસોથી રાહતના સમાચાર આવ્યા હતા.

સુરતથી 350લોકો વિદેશ પ્રવાસ ગયા હતા

સૂત્રો તરફથી મળી માહિતી અનુસાર સુરતના લેઉવા પાટીદાર સમાજના 350 લોકો વિયેતનામ ફરવા ગયા હતા. આ માટે એક ટૂર ઓપરેટર સાથે કરાર કરવામાં આવ્યો હતો. ટૂરની નક્કી કરાયેલી રકમ ટૂર ઓપરેટરને મળી ન હોવાના આક્ષેપ સાથે તેણે પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. સુરતના ટૂર ઓપરેટરે 1.07 કરોડ નહીં ચૂકવ્યાનો આક્ષેપ સાથે પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા.

લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વિયેતનામ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ બાદ 12 ઓક્ટોબરે સુરત આવવા નીકળેલા ગ્રૂપના સભ્યોને વિયેતનામમાં અટકાવ્યા હતા. આ સાથે વિવાદિત રકમ ચુકવવાની માંગણી પણ કરવામાં આવી હતી. ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા મામલામાં આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ વાતચીત દ્વારા હાલ કાઢ્યો હતો. આખરે  તમામ સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

 Surat:બ્રાન્ડેડ ચીજવસ્તુનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત,સુરતમાં નકલી ફેક્ટરી ઝડપાઈ, ડેટોલ, હારપિક-લાઈઝોલ

Team News Updates

 આકાશી નજારો બેટમાં ફેરવાયેલ ગામનો:  90 પરિવારોને સ્થળાંતરિત કરાયા, બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર બનતા બલેશ્વર-કુંભારિયા પાણી પાણી

Team News Updates

65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું સુરતમાં 5 વર્ષની બાળકી પર;જેને દાદા કહેતી તેણે જ પીંખી નાખી,લોહી નીકળતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

Team News Updates