News Updates
EXCLUSIVEGUJARAT

JUNAGADH: ગેરકાયદે ખડકાયેલી દરગાહ રાતોરાત ક્યાં ગાયબ થઈ??

Spread the love

જુનાગઢ: માત્ર ત્રણ કલાકમાં ગેરકાયદેસર દરગાહ તોડી નંખાઇ, 800થી વધારે પોલીસ કર્મીઓ હાજર

રાજ્યમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ગેરકાયદે બાંધકામમાં દૂર કરવા માટે રાજ્ય સરકારે કચ્છ, જામનગર બાદ હવે જૂનાગઢમાં પણ એક્શન લીધી છે.  શહેરમાંથી ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા મોદી રાતે હાથ ધરવામાં આવી હતી.

જામનગર, કચ્છ બાદ હવે જૂનાગઢમાં બુલડોઝર ચાલ્યું

અગાઉ રાજ્ય સરકાર દ્વારા જામનગર, કચ્છ જિલ્લામાં ઘાર્મિક સ્થળો સહિતના કેટલાક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા તો હવે જૂનાગઢમાં પણ નવા નિમાયેલ કમિશ્નર દ્વારા કડક એક્શન લેવામાં આવી રહી છે. મજેવડીમાં મોડી રાત્રે ગેરકાયદે નિર્માણો  પર   બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ સવાર પડે તે પહેલા જ બે મંદિર અને એક મસ્જિદ ગેરકાયદે હોવાથી બાંધકામને તોડી પડાયું હતું. 

800થી વધુ પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી

જૂનાગઢમાં 800થી વધુ પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.  જૂનાગઢમાં મોડી રાત્રે બે વાગ્યે હાથ  ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની પૂરી ચકાસણી કર્યાં  બાદ જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય માટે પહેલાથી જ  સુરક્ષાદળની બે ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.


Spread the love

Related posts

બર્થડે પાર્ટી ઉજવી પરત ફરી રહેલા 5 મિત્રોને નડ્યો અકસ્માત, 2ના યુવકના મોત, 3 ઘાયલ

Team News Updates

રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ગોધરા એસ.આર.પી. કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Team News Updates

મૃતક 3 યુવાનમાંથી એકની સગાઈ થઈ હતી,ડ્રાઇવરને ઝોકું આવ્યું ને કાર ધડાકાભેર વૃક્ષ સાથે ટકરાઈ,અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માત

Team News Updates