News Updates
NATIONAL

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો મોદી સરકારે :40% એક્સપોર્ટ ડ્યુટી પણ લાગશે,એક હજાર કિલો ડુંગળી ₹45,800થી ઓછી કિંમતે વેચી શકાશે નહીં

Spread the love

સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જો કે, આ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (MEP) 550 ડોલર એટલે કે લગભગ રૂ 45,800 પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. એટલે કે નિકાસ કરવા માટે ડુંગળીની કિંમત ઓછામાં ઓછી રૂ. 45,800 પ્રતિ મેટ્રિક ટન હોવી જોઈએ.

આ આદેશ આજથી જ અમલમાં આવ્યો છે અને આગામી આદેશ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતો ત્યારે સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ત્રીજા તબક્કાના મતદાન પહેલા ડુંગળીના એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવાયો ગયા વર્ષે ડિસેમ્બરમાં, સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તે પછી દેશોની વિનંતીના આધારે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, ગયા મહિને જ સરકારે ડુંગળી પરના એક્સપોર્ટ પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો.

એક્સપોર્ટ પ્રતિબંધમાં વધારો થયો ત્યારથી, વેપારીઓ અને ખેડૂતો, ખાસ કરીને મહારાષ્ટ્રના ખેડૂતો એક્સપોર્ટ પ્રતિબંધ હટાવવા વિનંતી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આનાથી ખેડૂતોને સારા ભાવ મેળવવામાં મદદ મળશે. હવે સરકારે પ્રતિબંધ એવા સમયે ઉઠાવી લીધો છે જ્યારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે.

ઓક્ટોબરમાં નવરાત્રિ પછી, સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ ઝડપથી વધવા લાગ્યા અને માત્ર એક અઠવાડિયામાં બમણાથી પણ વધુ થઈ ગયા હતા.. જે પછી, ગ્રાહકો પરનો બોજ ઘટાડવા માટે સરકારે 27 ઓક્ટોબરથી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF) અને NAFED જેવા સરકારી વેચાણ કેન્દ્રો દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું હતું.

ડુંગળી હંમેશા ભારતની રાજકીય અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ રહી છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય આવે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતે 1980ની કેન્દ્રીય ચૂંટણીને ‘ડુંગળીની ચૂંટણી’ ગણાવી હતી.


Spread the love

Related posts

944 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારે તમિલનાડુને મદદ કરી:સીએમ સ્ટાલિને ફેંગલ વાવાઝોડાથી નુકશાન મામલે કેન્દ્ર પાસેથી 2,000 કરોડ રૂપિયાની માંગણી કરી હતી

Team News Updates

મોદીએ સાગરમાં સંત રવિદાસ મંદિર-સ્મારકનો પાયો નાખ્યો:100 કરોડમાં બનશે; PMએ કહ્યું- રવિદાસે કહ્યું હતું કે પરાધીનતા એ સૌથી મોટું પાપ છે

Team News Updates

મિર્ચી મેકઅપ ! મહિલાએ ચિલી ફ્લેક્સથી કર્યો મેકઅપ, લોકો બોલ્યા ‘પ્રાણ જાય પણ ફેશન ન જાય’

Team News Updates