News Updates
NATIONAL

10 રૂપિયાની નોટ 6.90 લાખમાં વેચાઈ…

Spread the love

ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં યોજાયેલી હરાજીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ હરાજીમાં વિવિધ દેશોની જૂની નોટો વેચાઈ હતી, જેમાં ભારતની 10 રૂપિયાની બે નોટો પણ સામેલ હતી. જે લાખોમાં વેચાઈ હતી. ત્યારે તમારા મનમાં સવાલ આવી રહ્યો હશે કે આ નોટોમાં શું ખાસ હશે? તેમને કોણે ખરીદતું હશે. તો આ લેખમાં તેના વિશે જાણીશું.

હરાજીમાં ઘણી એવી વસ્તુઓની હરાજી થાય છે, જે તમને ચોંકાવી દે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં યોજાયેલી હરાજીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ હરાજીમાં વિવિધ દેશોની જૂની નોટો વેચાઈ હતી, જેમાં ભારતની 10 રૂપિયાની બે નોટો પણ સામેલ હતી.

ખાસ વાત એ છે કે એવી આશા હતી કે આ નોટો 2.7 લાખ રૂપિયા સુધીની હરાજી થશે, પરંતુ આ નોટો આના કરતા પણ વધુ કિંમતે વેચાઈ હતી. ત્યારે તમારા મનમાં સવાલ આવી રહ્યો હશે કે આ નોટોમાં શું ખાસ હશે? તેમને કોણે ખરીદતું હશે. તો આ લેખમાં તેના વિશે જાણીશું.

નુનાન્સ નામની સંસ્થા મેફેરમાં બેંક નોટોની હરાજી કરાવી રહી છે. જે 1990ના દાયકાથી જૂની નોટો, સિક્કા, જ્વેલરી અને મેડલની હરાજી કરે છે. જો કે આ હરાજીમાં ઘણી ભારતીય નોટો છે, પરંતુ 10 રૂપિયાની બે ભારતીય નોટોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ હરાજીમાં 10 રૂપિયાની એક નોટ 6,500 પાઉન્ડ એટલે કે 6.90 લાખ રૂપિયામાં વેચાઈ હતી, જ્યારે બીજી નોટ 5,500 પાઉન્ડ એટલે કે 5.80 લાખ રૂપિયામાં વેચાઈ હતી. હકીકતમાં આ નોટો આજની નહીં પરંતુ 106 વર્ષ જૂની છે.

તમને જણાવી દઈએ કે 10 રૂપિયાની આ બે નોટ ઘણી રીતે ખાસ છે. આ બંને નોટો એસએસ શિરાલા નામના જહાજના ભંગારમાંથી મળી આવી હતી. તમને જણાવી દઈએ કે એસએસ શિરાલા એક બ્રિટિશ જહાજ હતું, જે બોમ્બેથી દારૂ, જામ અને દારૂગોળો લઈને લંડન જઈ રહ્યું હતું. 2 જુલાઈ, 1918ના રોજ આ જહાજ જર્મન ટોર્પિડોની ઝપેટમાં આવ્યા બાદ આઇરિશ દરિયાકાંઠે ડૂબી ગયું હતું. તે જ જહાજના ભંગારમાંથી 10 રૂપિયાની બે નોટો પણ મળી આવી હતી. આ નોટો પર ગવર્નરની સહી પણ નથી. કોઈપણ રસ ધરાવનાર વ્યક્તિ હરાજીમાં આ નોટો ખરીદી શકે છે.


Spread the love

Related posts

સરકારી કર્મચારીઓ આનંદો:ગુજરાતના પાંચ લાખ કર્મચારીઓને મળશે આઠ ટકા મોંઘવારી ભથ્થું, સરકાર ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત

Team News Updates

PM મોદીના નેતૃત્વમાં આજે SCO સમિટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે ફોકસ

Team News Updates

રખડતા કુતરાનો ત્રાસ:વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 40 હજારથી વધુ લોકોને રખડતા કુતરાઓ કરડ્યા, સ્ટ્રીટ ડોગ વધુ હિંશક રીતે એટેક કરતા હોવાનું સામે આવ્યું

Team News Updates