News Updates
NATIONAL

Rath Yatra 2024:નિજમંદિરે લવાયું મામેરું, વાજતે – ગાજતે અને ભવ્ય શોભાયાત્રા સાથે

Spread the love

રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ભગવાન જગન્નાથજીનું મામેરુ નિજ મંદિરમાં લાવવામાં આવ્યું છે.

રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાના પગલે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે અમદાવાદના જગદીશ મંદિરમાં ભગવાનના મામેરુ લવાયુ છે. ભવ્ય શોભાયાત્રા સાથે મામેરાને નિજમંદિર લવાયું છે. વાજતે – ગાજતે મંદિરમાં જગન્નાથજીના મામેરાનું આગમન કરવામાં આવ્યું છે. ભક્તો દર્શન કરી શકે તે માટે મામેરુ મંદિરમાં ખુલ્લુ મુકાયું છે. અમાસથી બીજ સુધીની પ્રભુની ‘શ્રૃંગાર સામગ્રી’ના ભક્તોને દર્શન થયા છે. મનોહારી પાઘ, વાઘા, આભૂષણોના ભક્તોને દર્શનનો લાભ મળ્યો છે.

રથયાત્રાના દિવસે પ્રભુ જગન્નાથજીના પ્રસાદનું આગવું મહત્વ હોય છે. રથયાત્રાના પ્રસાદ માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ પ્રસાદમાં વહેંચવામાં આવશે.ભક્તોને કેરી, કાકડી અને દાડમનો પણ પ્રસાદ આપવામાં આવશે. આ ઉપરાંત 2 લાખ શ્રદ્ધાળુઓને ‘ઉપરણા’ પ્રસાદનો લાભ મળશે.


Spread the love

Related posts

કાવેરી વિવાદ મામલે ખેડૂતોનું બેંગલુરુ બંધ:તમિલનાડુથી આવતી બસો બંધ, શાળા-કોલેજોમાં પણ રજા; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

Team News Updates

ઘરમાં અરીસો લગાવવા માટે પણ નિયમ છે, અવગણવાથી સુખ-શાંતિ છીનવાઈ જાય છે

Team News Updates

ફેંગલ વાવાઝોડું ટકરાઈ શકે છે તમિલનાડુમાં 2 દિવસમાં ,75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 6 જિલ્લામાં સ્કૂલો બંધ, વિમાન સેવાને અસર

Team News Updates