News Updates
RAJKOT

2 દરવાજા ખોલાયા સતત આવકને લઈ,ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો

Spread the love

ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક સતત થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી હાલમાં 52 મીટર પહોંચી છે. જ્યારે સંપૂર્ણ જળસપાટી 53 મીટર છે. ડેમમાં સોમવારે બપોર સુધી 81.11 ટકા જળ જથ્થો નોંધાયો છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે તંત્રએ અપીલ કરી છે. સતત વરસાદને લઈ ડેમની જળસપાટી અને પાણીની આવક પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


Spread the love

Related posts

ગુજરાતમાં લૂ અને આકરા તાપની આગાહી:ઉત્તરનો પવન શરૂ થતાં રાજ્યમાં ગરમીનો પારો 5 ડીગ્રી વધી શકે, અમદાવાદમાં કાલથી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર

Team News Updates

RAJKOT: CRIME BRANCH પીઆઈ વાય.બી. જાડેજાની બદલીનું આ હોય શકે છે કારણ !!

Team News Updates

જેતપુરમાં માતા હોસ્પિટલમાં સારવારમાં હતી ત્યારે એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ સગીર વયની પુત્રી પર દુષ્કૃત્ય આચર્યું

Team News Updates