News Updates
RAJKOT

2 દરવાજા ખોલાયા સતત આવકને લઈ,ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો

Spread the love

ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક સતત થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી હાલમાં 52 મીટર પહોંચી છે. જ્યારે સંપૂર્ણ જળસપાટી 53 મીટર છે. ડેમમાં સોમવારે બપોર સુધી 81.11 ટકા જળ જથ્થો નોંધાયો છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે તંત્રએ અપીલ કરી છે. સતત વરસાદને લઈ ડેમની જળસપાટી અને પાણીની આવક પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


Spread the love

Related posts

ગોંડલ નજીક આવેલા સુલતાનપુરમાં એકલવ્ય વિદ્યા સંકુલની હોસ્ટેલમાં 17 જુલાઈએ બનેલી ઘટના

Team News Updates

RAJKOT:દાળ-ચોખા અને સ્નેલ સેલ્સના મિશ્રણથી બન્યું છે રંગ ઘર,આસામની પ્રાચીન ધરોહરને મળ્યું 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનું સન્માન

Team News Updates

RAJKOT:હજારો લિટર પાણીનો વેડફાટ,અમીન માર્ગ પર પાણીની લાઈન તૂટી જતા, એકાદ કલાક બાદ તંત્રએ સમારકામ ચાલુ કર્યું;ચોમાસાના દૃશ્યો ભરઉનાળે

Team News Updates