News Updates
RAJKOT

2 દરવાજા ખોલાયા સતત આવકને લઈ,ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો

Spread the love

ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક સતત થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી હાલમાં 52 મીટર પહોંચી છે. જ્યારે સંપૂર્ણ જળસપાટી 53 મીટર છે. ડેમમાં સોમવારે બપોર સુધી 81.11 ટકા જળ જથ્થો નોંધાયો છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે તંત્રએ અપીલ કરી છે. સતત વરસાદને લઈ ડેમની જળસપાટી અને પાણીની આવક પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


Spread the love

Related posts

RAJKOT:TRP ગેમ ઝોન 80 હજારથી 1.20 લાખ વીજબિલ આવતું,2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન માગ્યું હતું,PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું’તું

Team News Updates

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના:રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ, બંને ગામોનો સુયોજિત વિકાસ કરવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Team News Updates