News Updates
RAJKOT

2 દરવાજા ખોલાયા સતત આવકને લઈ,ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો

Spread the love

ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક સતત થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી હાલમાં 52 મીટર પહોંચી છે. જ્યારે સંપૂર્ણ જળસપાટી 53 મીટર છે. ડેમમાં સોમવારે બપોર સુધી 81.11 ટકા જળ જથ્થો નોંધાયો છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે તંત્રએ અપીલ કરી છે. સતત વરસાદને લઈ ડેમની જળસપાટી અને પાણીની આવક પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


Spread the love

Related posts

 RAJKOT: વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન,દર્દીની કિડનીમાં રહેલ એડવાન્સ કેન્સરની ગાંઠનું 

Team News Updates

 RAJKOT:લાઈસન્સ વિનાના 19 ધંધાર્થીને નોટિસ:ભાવનગર રોડ પર ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીઝમાં 9 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

Team News Updates

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત:ડેન્ગ્યુનાં 9, મેલેરિયા 1 અને ચીકનગુનિયાનાં વધુ 8 કેસ, શરદી-ઉધરસ-તાવનાં 876 સહિત કુલ 1074 દર્દીઓ નોંધાયા

Team News Updates