News Updates
NATIONAL

21 સપ્ટેમ્બરે શપથ લેશે આતિશી સાથે નવી કેબિનેટ: મુકેશ અહલાવત નવા કેબિનેટ મંત્રી, ગોપાલ રાય- સૌરભ ભારદ્વાજ સહિત પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે

Spread the love

આતિશી 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આતિશી પોતાની કેબિનેટ સાથે શપથ લેશે. મુકેશ અહલાવત કેબિનેટમાં નવો ચહેરો હશે.

AAPએ કહ્યું કે મુકેશ સામાજિક ન્યાય મંત્રી રાજકુમાર આનંદનું સ્થાન લેશે. અહલાવત દિલ્હીની સુલતાનપુર માજરા સીટના ધારાસભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)નો દલિત ચહેરો છે.

દિલ્હી સરકારની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત સાત સભ્યો છે. નવા મુખ્યમંત્રી અને નવા સભ્યોનો કાર્યકાળ ટૂંકો રહેશે, કારણ કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025 સુધીનો છે.

કેબિનેટમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન મંત્રી તરીકે યથાવત રહેશે. હજુ સાતમા સભ્યના નામની જાહેરાત કરવામાં આવી નથી.

અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી તેઓ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. કેજરીવાલે એ જ દિવસે રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીમાં આતિશી કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે. 21 સપ્ટેમ્બરે આતિશી સીએમ બનવાની સાથે આ પાંચ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે.

આતિશી સાથે આ 5 મંત્રીઓ શપથ લેશે

1. ગોપાલ રાય

2. કૈલાશ ગેહલોત

3. સૌરભ ભારદ્વાજ

4. ઈમરાન હુસૈન

5. મુકેશ અહલાવત

આતિશી 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા. તે પાર્ટીના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. તે દિલ્હી વિધાનસભામાં કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને દિલ્હી સરકારના મોટાભાગના વિભાગો માટે જવાબદાર છે.

લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ પછી AAP સામે આવેલી મુશ્કેલીઓ વચ્ચે માર્ચ 2023 માં આતિશીની દિલ્હી કેબિનેટમાં નિમણૂક કરવામાં આવી હતી. આતિશીને ઘણા પડકારોનો સામનો કરવો પડશે કારણ કે તે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફરીથી સત્તામાં લાવવા માટે પાર્ટીનો મુખ્ય ચહેરો હશે.

સીએમ તરીકે ચૂંટાયા બાદ આતિશીએ કહ્યું હતું કે આગામી ચૂંટણી સુધી મારી પાસે માત્ર બે જ નોકરી છે. પ્રથમ- દિલ્હીની જનતાને ભાજપના ષડયંત્રથી બચાવવા. બીજું- કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવવા.

1. કેજરીવાલ પાસે પાવર નહીં અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ પછી જામીન પર જેલમાંથી બહાર આવ્યા. સુપ્રીમ કોર્ટે એક શરત મૂકી કે તેઓ સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ ફાઇલ પર સહી નહીં કરે. મતલબ કે જેલમાંથી બહાર આવીને મુખ્યમંત્રી હોવા છતાં તેમની પાસે હવે પાવર રહ્યો નથી.

2. કાર્યકાળના 5 મહિના બાકી દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થઈ રહ્યો છે. એટલે કે સરકાર પાસે માત્ર 5 મહિના બાકી છે. આ સમયગાળા દરમિયાન ચૂંટણી પણ યોજાશે. આ દરમિયાન, સરકારો લોક લોભામણા નિર્ણયો લે છે. કેજરીવાલ કોર્ટના નિર્ણયની શરતોથી બંધાયેલા છે. જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ છે. કેજરીવાલ બે-ત્રણ મહિના અગાઉ ચૂંટણીની માગ કરીને આ સહાનુભૂતિનો લાભ ઉઠાવવા માગે છે.

3. પ્રામાણિક નેતાની છબી મજબૂત કરશે જ્યારથી દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલનું નામ સામે આવ્યું છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા હતા. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપના નેતાઓને સીધું કહી શકશે કે તેમણે આરોપોને કારણે જ મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. તેમની પ્રામાણિકતા હવે જનતા નક્કી કરશે.


Spread the love

Related posts

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023ની બીજી આવૃત્તિનું આજે ઉદ્ઘાટન:PM મોદી ભારત મંડપમમાં ઉદ્ઘાટન કરશે; જેમાં 80 દેશોના 1200 લોકો ભાગ લેશે

Team News Updates

PMએ રાયપુરમાં 7000 કરોડની યોજના લોન્ચ કરી:કહ્યું- છત્તીસગઢ માટે આજનો દિવસ ખાસ, આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી યાત્રા શરૂ થશે

Team News Updates

બિલાસપુરમાં પરિવર્તન સંકલ્પ રેલીમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- છત્તીસગઢને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે જનતા તૈયાર

Team News Updates