News Updates
INTERNATIONAL

2 ચીની એન્જિનિયરોના મોત, કરાચીમાં વિસ્ફોટ:BLA બળવાખોરોએ હુમલાની જવાબદારી લીધી; ચીને ગુનેગારોને સજાની માગ કરી

Spread the love

પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2 ચીની નાગરિકોના મોત થયા છે. BBCના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક ચીની નાગરિક પણ ઘાયલ થયો છે. હુમલામાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી.

પાકિસ્તાનમાં ચીનના દૂતાવાસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ચીની દૂતાવાસે પોતાના નિવેદનમાં ઘણા સ્થાનિક લોકો ઘાયલ થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. દૂતાવાસે જણાવ્યું હતું કે સિંધ પ્રાંતમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

દૂતાવાસે પાકિસ્તાનને આ હુમલાની તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા આપવાની માગ કરી છે. ચીની દૂતાવાસે કહ્યું કે, પાકિસ્તાન સાથે મળીને અમે આ હુમલાના પરિણામોને સંભાળવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.

પાકિસ્તાની અલગતાવાદી આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જૂથનું કહેવું છે કે તેઓએ ચીની એન્જિનિયરો અને રોકાણકારોના કાફલાને નિશાન બનાવ્યું હતું.

કરાચી પોલીસના પ્રવક્તા ગુલામ મહેસરે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં એક ટેન્કરમાં આગ લાગી હતી અને નજીકના વાહનો બળી ગયા હતા. બ્લાસ્ટ એરિયાનો ઉપયોગ સામાન્ય રીતે વીઆઈપી પ્રોટોકોલ વાહનો માટે થાય છે. આ વિસ્ફોટ એરપોર્ટની બહાર જતા રસ્તા પર થયો હતો. હાલ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

ઑગસ્ટમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં અલગ-અલગ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા હતા. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ પછી પાકિસ્તાની સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે બલૂચિસ્તાનમાં જવાબી કાર્યવાહીમાં 21 આતંકીઓ પણ માર્યા ગયા.

આ વર્ષે માર્ચમાં પાકિસ્તાનમાં ચીનની મદદથી બનાવવામાં આવી રહેલા ગ્વાદર પોર્ટ ઓથોરિટી (GPA) પર આતંકી હુમલો થયો હતો. ગ્વાદરમાં સંકુલમાં અનેક વિસ્ફોટ અને ગોળીબાર થયા હતા. અહીં એક પાસપોર્ટ ઓફિસ પણ હતી, જે વિસ્ફોટમાં નાશ પામી હતી. 8 આતંકીઓ પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા તમામ આઠ લોકો બલૂચિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA)ના હતા.

ફેબ્રુઆરીમાં, પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં, બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કક્કડ ઓફિસમાં હાજર ન હતા.

આના થોડા સમય પછી, બીજો વિસ્ફોટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લા શહેરમાં જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F) પાર્ટીના ઉમેદવાર મૌલાના અબ્દુલ વાસેના કાર્યાલયની બહાર થયો હતો. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. બંને વિસ્ફોટોમાં કુલ 24 લોકોના મોત થયા હતા.


Spread the love

Related posts

હેલેન વાવાઝોડાના કારણે અમેરિકામાં 49ના મોત:ફ્લોરિડાની હોસ્પિટલમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા,રેસ્ક્યૂ માટે 4 હજાર સૈનિકો તહેનાત

Team News Updates

  Jio Smart TV થઈ શકે છે લોન્ચ,સૌથી સસ્તું  મુકેશ અંબાણીનો સ્માર્ટ પ્લાન  

Team News Updates

પરમાણુ બોમ્બના ઢગલા પર બેઠી છે દુનિયા, SIPRIના રિપોર્ટમાં મોટો ખુલાસો

Team News Updates