News Updates
NATIONAL

સમલૈંગિક લગ્નોનું કોકડું ગૂંચવાયું:​​​​​​​પહેલાં વિરોધ કર્યો, હવે સરકાર સમિતિ રચશે, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મુશ્કેલીઓનો ઉકેલ શોધીશું

Spread the love

સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા માટેની 20 અરજીઓ પર બુધવારે સાતમા દિવસે સુનાવણી ચાલી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સમલૈંગિક કપલની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે એક સમિતિ બનાવવા માટે તૈયાર છે.

મહેતાએ કહ્યું કે આ કમિટી આ કપલનાં લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દામાં દખલ કરશે નહીં. અરજીકર્તાઓ એટલે કે સમલિંગી યુગલો સમસ્યાઓ અંગે તેમનાં સૂચનો આપી શકે છે. તેઓ અમને જણાવે કે શું પગલાં લઈ શકાય. સરકાર આ અંગે સકારાત્મક છે. હા, એ વાત ચોક્કસ છે કે આ મામલે એક નહીં પણ અનેક મંત્રાલયો વચ્ચે તાલમેલની જરૂર છે.

છેલ્લા દિવસે એટલે કે છઠ્ઠા દિવસે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે – સમલૈંગિકોને સમાજમાંથી બહાર કાઢી શકાય નહીં. સરકારે સમજાવવું જોઈએ કે તે આ અંગે શું કરવા માગે છે અને તે આવા લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કેવી રીતે કામ કરી રહી છે.

CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. છેલ્લા 6 દિવસની સુનાવણી દરમિયાન શરૂઆતમાં કેન્દ્રએ પોતાની દલીલો આપી હતી. આ પછી, અરજદારોએ તેમની સમસ્યાઓ અને માંગણીઓ કોર્ટ સમક્ષ મૂકી.

સ્પેશિયલ મેરેજ એક્ટ પર સુપ્રીમ કોર્ટ

  • સરકારને આ મુદ્દાને ઉકેલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે કારણ કે જો ન્યાયતંત્ર તેમાં પ્રવેશ કરશે તો તે કાનૂની મુદ્દો બની જશે.
  • સરકારને સમજાવવું જોઈએ કે તે આ સંબંધમાં શું કરવા માગે છે અને તે આવા લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કેવી રીતે કામ કરી રહી છે.
  • CJI એ એમ પણ કહ્યું કે સમલૈંગિકોને સમાજમાંથી બહાર કાઢી શકાય નહીં.
  • જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું- જ્યારે આપણે માન્યતા કહીએ છીએ, ત્યારે તે હંમેશાં લગ્ન તરીકે માન્યતા ન હોઈ શકે. માન્યતાનો અર્થ છે, જે તેમને ચોક્કસ લાભ માટે હકદાર બનાવે છે.
  • જસ્ટિસ ભટે કહ્યું- માન્યતા એવી હોવી જોઈએ કે તેનાથી તેમને ફાયદો થાય.

SG તુષાર મહેતા દ્વારા કઈ દલીલો કરાઈ…

  • સ્પેશિયલ મેરેજ એક્ટ માત્ર વિજાતીય લોકો માટે છે. અલગ અસ્થાવાળા લોકો માટે તે લાવવામાં આવ્યો. સરકાર દરેક ખાનગી સંબંધોને માન્યતા આપવા માટે બંધાયેલી નથી. અરજદારો ઇચ્છે છે કે નવા હેતુ સાથે નવો વર્ગ બનાવવામાં આવે. આની ક્યારેય કલ્પના નહોતી.
  • સરકારે કોઈપણ સંબંધને ઓળખવામાં ધીમા રહેવું પડશે, કારણ કે આ કિસ્સામાં તેઓ સામાજિક અને ખાનગી સંબંધોના પ્લેટફોર્મ પર છે. જો જોવામાં આવે તો, વિજાતીય લોકોમાં લગ્નોનું નિયમન થતું નથી, પરંતુ સમાજને લાગે છે કે તમે લોકોને કોઈપણ ઉંમરે અને ઘણી વખત લગ્ન કરવાની મંજૂરી આપી શકતા નથી. આવી ઘણી બાબતો છે.
  • ઓપોઝિટ જેન્ડરવાળા સમલૈંગિકોને આપવામાં આવતા લાભોની માગ કરી શકે છે. એ પણ શક્ય છે કે ઓપોઝિટ જેન્ડરવાળા પરિણીત લોકો કોર્ટમાં આવીને કહે કે સમલૈંગિક યુગલોને જે લાભ મળે છે તે જ લાભ મને મળવો જોઈએ, કારણ કે હું અંદરથી વિજાતીય હોઈ શકું છું, પણ મને કંઈક બીજું લાગે છે….
  • પાંચ વર્ષ પછી શું થશે તેની કલ્પના કરો. લૈંગિક સ્વાયત્તતાનો ઉલ્લેખ કરીને, વ્યક્તિ ફક્ત વ્યભિચારને પ્રતિબંધિત કરતી જોગવાઈઓને જ કોર્ટમાં પડકારી શકે છે. તેના પર CJIએ કહ્યું કે આ તાર્કિક નથી. કોઈપણ અદાલત આને ક્યારેય સમર્થન આપશે નહીં.
  • સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માગણી કરનારા લોકો ઈચ્છે છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ ફરીથી લખવામાં આવે. અરજદારો તેમની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. શું કોઈ એક્ટ એવો હોઈ શકે કે જે એક તરફ વિજાતીય અને બીજી તરફ સમલૈંગિકોને લાગુ પડે? તેનો કોઈ અર્થ નથી.

Spread the love

Related posts

ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ભાજપે રાજસ્થાનમાં ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા

Team News Updates

મણિપુરમાં સવારથી ફાયરિંગ અને બોમ્બમારો:થોરબંગ અને કાંગવેમાં હિંસા; I.N.D.I.A ગઠબંધનના સાંસદો 29-30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાત લેશે

Team News Updates

સુરતના પાસોદ્રા વિસ્તારમાં ઝડપાયું જુગારધામ, 6 મહિલા અને 3 પુરૂષ જુગાર રમતા ઝડપાયા

Team News Updates