News Updates
ENTERTAINMENT

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 50 દિવ્યાંગજનોએ IPL મેચનો લીધો લ્હાવો, BCCI સેક્રેટરી જય શાહે મોકલાવી હતી ટિકિટ

Spread the love

સોમવારે IPL મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો. સોમવારે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી.

અમદાવાદમાં (Ahmedabad) સોમવારે IPL મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો. સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ IPL મેચ નિહાળવાનો લ્હાવો સોમવારે 15 મેના રોજ કેટલાક દિવ્યાંગજનોએ પણ લીધો હતો.

50 જેટલા દિવ્યાંગજનોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ નિહાળી હતી. BCCI સેક્રેટરી જય શાહે દિવ્યાંગજનોને ટિકિટ મોકલાવી હતી. ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચને દિવ્યાંગજનોને હળવા મૂડમાં માણી હતી.

મહત્વનું છે કે સોમવારે આ મેચમાં હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ગુજરાતની ટીમને ઘર આંગણે પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. હૈદરાબાદના બોલર્સે ગુજરાતના બેટર્સને પરેશાન કરી દીધા હતા. હૈદરાબાદ સામે પાંચ એવા બેટર નોંધાયા હતા કે, જે બેટિંગ કરવા મેદાને તો ઉતર્યા હતા, પરંતુ ખાતુ ખોલાવી શક્યા નહોતા. જોકે ગિલની સદીના દમ પર ગુજરાતે પડકારજનક સ્કોર ખડક્યો હતો.


Spread the love

Related posts

સાઉથના સુપરસ્ટાર રામ ચરણના ઘરે ગુંજી કિલકારી:પત્ની ઉપાસનાએ દીકરીને જન્મ આપ્યો, લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા

Team News Updates

Parineeti Raghav Wedding: 23 સપ્ટેમ્બરથી શરૂ થશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ, જુઓ વેડિંગ કાર્ડ

Team News Updates

‘રેફ્યુજી’ ફિલ્મ દરમિયાન અભિષેક ડાયલોગ્સ ભૂલી ગયો હતો:વર્ષો પછી કિસ્સો જણાવ્યો અને કહ્યું, ‘ડરના કારણે 17 વાર રિ-ટેક લીધા હતા, ભીડ જોઈને નર્વસ થઇ ગયો હતો’

Team News Updates