News Updates
ENTERTAINMENT

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 50 દિવ્યાંગજનોએ IPL મેચનો લીધો લ્હાવો, BCCI સેક્રેટરી જય શાહે મોકલાવી હતી ટિકિટ

Spread the love

સોમવારે IPL મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો. સોમવારે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી.

અમદાવાદમાં (Ahmedabad) સોમવારે IPL મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો. સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ IPL મેચ નિહાળવાનો લ્હાવો સોમવારે 15 મેના રોજ કેટલાક દિવ્યાંગજનોએ પણ લીધો હતો.

50 જેટલા દિવ્યાંગજનોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ નિહાળી હતી. BCCI સેક્રેટરી જય શાહે દિવ્યાંગજનોને ટિકિટ મોકલાવી હતી. ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચને દિવ્યાંગજનોને હળવા મૂડમાં માણી હતી.

મહત્વનું છે કે સોમવારે આ મેચમાં હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ગુજરાતની ટીમને ઘર આંગણે પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. હૈદરાબાદના બોલર્સે ગુજરાતના બેટર્સને પરેશાન કરી દીધા હતા. હૈદરાબાદ સામે પાંચ એવા બેટર નોંધાયા હતા કે, જે બેટિંગ કરવા મેદાને તો ઉતર્યા હતા, પરંતુ ખાતુ ખોલાવી શક્યા નહોતા. જોકે ગિલની સદીના દમ પર ગુજરાતે પડકારજનક સ્કોર ખડક્યો હતો.


Spread the love

Related posts

એક IPL સિઝનથી 11,769 કરોડ રૂપિયાની કરી કમાણી

Team News Updates

વિશ્વની સૌથી પ્રિય યુટ્યુબચેનલ બની, ‘મિસ્ટર બીસ્ટ’ 26.80 કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે,26 વર્ષના છોકરાએ ટી-સિરીઝનો રેકોર્ડ તોડ્યો

Team News Updates

સ્વરા ભાસ્કરે દીકરીને જન્મ આપ્યો:પ્રખ્યાત સૂફી સંત રાબિયા બસરીથી પ્રભાવિત થઈને પુત્રીનું નામ રાબિયા રાખ્યું

Team News Updates