News Updates
RAJKOT

પેટ્રોલપંપની આ સ્કીમ માત્ર ગાડીઓવાળા માટે:ગુલાબી નોટ વટાવનારાઓને બરાબરના ભેરવી દીધા, નેતાજીની ઉતાવળે અધિકારીઓને ધંધે લગાડ્યા

Spread the love

RBIએ 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાનું નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી ગુલાબી નોટ વટાવવા લોકો પેટ્રોલપંપ જઈ 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે અને 2000ની નોટ આપે છે. એનો રસ્તો કેટલાક પેટ્રોલપંપ સંચાલકોએ શોધી લીધો છે. અમુક પેટ્રોલપંપ પર પાટિયાં લગાવી દેવાયાં છે, જેમાં 2000ની નોટ સ્વીકારવાની શરતો લખી છે. પારકી પંચાતમાં AMC સાથે જોડાયેલી બે ઘટના. હંમેશની જેમ કોર્પોરેશને રોડ બનાવી લીધા પછી યાદ આવ્યું કે ગટરની લાઈન નાખવાનું તો ભૂલી જ ગયા, હવે નવો રોડ ખોદતા લોકોમાં રોષ છે અને તરેહ-તરેહની વાતો કરી રહ્યા છે. તો AMCના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને મોંઘો વ્હાઈટ ટોપિંગ રોડ મુખ્ય માર્ગના બદલે પોતાની સોસાયટીમાં બનાવડાવી દેતાં વિવાદમાં ફસાયા છે. તેમણે જશ ખાટવા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દીધી હતી, જોકે એ જ પોસ્ટના કારણે તેમની મુસીબતો વધી ગઈ. આ સિવાય સુખરામ રાઠવા વર્ષોથી કોંગ્રેસમાં છે, આગળ પણ કોંગ્રેસમાં જ રહેવાના છે એવો વિશ્વાસ અપાવી રહ્યા છે તોય અમુક સવાલો તેમનો પીછો નથી છોડતા. ફરી વાતો ઊડી કે સુખરામ રાઠવા ભાજપમાં જશે…હવે આ અફવા મુદ્દે સ્પષ્ટતા આપી સુખરામભાઈ કંટાળી ગયા હોય એવી ચર્ચા છે.


Spread the love

Related posts

રાજકોટ ટ્રાફિક પોલીસની અનોખી પહેલઃ ૬૮ વાહન ચાલકોને અપાઇ હેલ્મેટ

Team News Updates

RAJKOT:ડાયવર્ઝનનું કામ પુરજોશમાં,રાજકોટમાં નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે જૂનો પુલ તોડવાની કામગીરી મે મહિનામાં શરૂ થશે

Team News Updates

અમદાવાદ પહોંચવા માટે સમય-ખર્ચ બચશે:રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક 116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ, PM મોદીના હસ્તે લોકાર્પણ થશે

Team News Updates