News Updates
RAJKOT

અડધી રાત્રે ગેસનો બાટલો સળગ્યો:રાજકોટના એક મકાનમાં અડધી રાતે આગ લાગતા અફરાતફરી મચી, ફાયર ફાઈટર જવાનોએ પાણીનો મારો ચલાવીને હાશકારો કરાવ્યો

Spread the love

રાજકોટના રહેણાંક મકાનમાં રાત્રે ગેસનો બાટલો કોઈ કારણોસર સળગતા આગ ભભૂકી હતી. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અંદાજે એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં લગભગ 20 હજારની મિલકતનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આગની જાણ થતાં ફાયર કાફલો દોડતા થયો
મળતી માહિતી અનુસાર ગતરાત્રે નાનામૌવા મેન રોડ પર આવેલા શાસ્ત્રીનગરના ડી.216 નંબરના બ્લોક માં આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક મવડી ફાયર સ્ટેશનથી એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્કર સાથે ફાયર સ્ટેશન ઓફિસર અને ફાયર ફાઈટર જવાનો સહિતનો કાફલો દોડી ગયો હતો. આગ મકાનમાં પાછળ આવેલા નવેરામાં લાગી હતી. જેથી પાછળથી બીજા મકાનમાં જઈ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે એકાદ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

20 હજારની મિલકતનું નુકસાન
આગમાં સફાઈ કરવાના ક્લીનર લિક્વિડના કેરબા, વેસ્ટ પૂઠા, ઇલેક્ટ્રિક મશીન સળગી ગયા હતા, જ્યારે ત્યાં પડેલા ગેસના બાટલમાં પણ આગની હિટ લાગી હતી. ત્યાં હાજર મકાનમાં રહેતા જયેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, તેઓ ઘરે લિક્વિડ બનાવવાનું કામ કરે છે. જેથી નવેરામાં લિક્વિડના કેરબા પડ્યા હતા. જોકે આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું તારણ છે. પણ આ આગમાં ગેસનો બાટલો સળગતા આસપાસના લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવમાં આશરે 20 હજારની મિલકતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.


Spread the love

Related posts

ભીષણ ગરમીને લઈ એલર્ટ:રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર, બપોરે 11થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ

Team News Updates

દેશી દારૂનાં ધમધમતા અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ

Team News Updates

આયુર્વેદિક સીરપનો નશો!:રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે 5 ટ્રક ભરેલી 6 બ્રાન્ડની 73275 બોટલ સીરપ પકડી, આલ્કોહોલની પ્રમાણ જાણવા FSLની મદદ લીધી

Team News Updates